દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર થયો છે. બીસીસીઆઈએ વિરાટ કોહલી પાસેથી વન-ડેનું સુકાન લઇ લીધુ છે અને હવે ટી-20ની સાથે-સાથે વન-ડેમાં પણ રોહિત શર્માને કેપ્ટન બનાવી દીધો છે. તો હવે ફરી એક વખત બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું નિવેદન સામે આવ્યું છે.
દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર
BCCIએ વિરાટ કોહલી પાસેથી વન-ડેનું સુકાન લઈ લીધુ
બોર્ડે વન-ડેમાં રોહિત શર્માને બનાવ્યો કેપ્ટન
મેં પણ વિરાટ કોહલીને અપીલ કરી હતી: દાદા
સૌરવ ગાંગુલીએ એક ઈન્ટરવ્યુમાં આખા મુદ્દા અંગે કહ્યું કે મેં પોતે વિરાટ કોહલીને અપીલ કરી હતી કે તેઓ ટી-20નું સુકાન ના છોડે. પરંતુ તેઓ વર્કલોડના કારણે કેપ્ટનશિપ છોડવા માંગતા હતા. જે ખરેખર યોગ્ય છે. વિરાટ કોહલી ખૂબ આક્રમક ક્રિકેટર છે. તેમણે લાંબા સમય સુધી ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી છે. બીસીસીઆઈ અધ્યક્ષે કહ્યું કે વ્હાઈટ બોલની રમતમાં એક કેપ્ટન હોવો જોઈએ. તેથી આ નિર્ણય લેવામાં આવ્યો. અમને ખબર નથી કે આગળ શું થશે. પરંતુ અમારી પાસે હોશિયાર ટીમ છે. જેમાં સારા ખેલાડીઓ છે. જે ટૂંક સમયમાં પરિણામ પણ બતાવશે.
BCCIએ આ રીતે લીધો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, સૌરવ ગાંગુલીએ પહેલાં પણ આ નિવેદન આપ્યું હતુ કે અમે વિરાટ કોહલીને ટી-20ની કેપ્ટનશિપ છોડવાની ના પાડી હતી. પરંતુ તેમણે આ દરખાસ્તને સ્વીકારી નહીં. બીસીસીઆઈએ તાજેતરમાં જ્યારે સાઉથ આફ્રિકા માટે ટેસ્ટ ટીમની જાહેરાત કરી. તેની સાથે વન-ડે ક્રિકેટમાં કેપ્ટન બદલવાની પણ જાહેરાત કરી દીધી.