બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 'આ કોઈ મજાક નથી..', ભારત-પાકિસ્તાન ક્રિકેટ સંબંધોને લઈને સૌરવ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન
Last Updated: 03:10 PM, 26 April 2025
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને BCCIના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ શુક્રવારે પહેલગામ આતંકવાદી હુમલાને પગલે પાકિસ્તાન સાથેના ક્રિકેટ સંબંધોને સંપૂર્ણપણે તોડી નાખવાની હાકલ કરી હતી. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. સૌરવ ગાંગુલીએ વારંવાર થઈ રહેલા આતંકવાદી હુમલાઓના જવાબમાં કડક કાર્યવાહીની તાત્કાલિક જરૂરિયાતનો પણ ઉલ્લેખ કર્યો.
ADVERTISEMENT
ICC ઇવેન્ટમાં સામ-સામે
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારત અને પાકિસ્તાન ફક્ત ICC ઇવેન્ટમાં જ ટકરાતા રહ્યા છે, જેમ કે T-20 અને 50 ઓવરના વર્લ્ડ કપ, ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા આયોજિત એશિયા કપ સ્પર્ધાઓ.
ADVERTISEMENT
વધુ વાંચો: 'આ તારીખે ગોંડલના અલગ અલગ વિસ્તારોમાં ફરીશ', અલ્પેશ કથીરીયાએ ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વિકારી
બંને દેશો વચ્ચે કોઈ શ્રેણી નહોતી
ઉલ્લેખનીય છે કે ક્રિકેટમાં સૌથી મોટી હરીફ હોવા છતાં, ભારત અને પાકિસ્તાન 2012-13 પછી કોઈપણ દ્વિપક્ષીય શ્રેણીમાં એકબીજાનો સામનો કરી શક્યા નથી. બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ રાજકીય સંબંધોને કારણે ભારતે 2008 થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી.
હાઇબ્રિડ મોડેલ પર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન
તાજેતરમાં યોજાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન, ભારતે પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કર્યો હતો અને તેના બદલે હાઇબ્રિડ મોડેલ હેઠળ ટુર્નામેન્ટ રમી હતી, જેના કારણે ભારતના મેચો દુબઈ ખસેડવામાં આવ્યા હતા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.