પ. બંગાળમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવવા માટે સંઘર્ષ કરી રહી છે ત્યારે શરૂઆતમાં એવી અટકળો હતી કે પાર્ટી સૌરવ ગાંગુલીને ચહેરો બનાવી શકે છે જેના પર રિપોર્ટ સામે અઆવી છે.
સૌરવ ગાંગુલીને ભાજપ મેદાનમાં ઉતારે તેવી હતી અટકળો
ગાંગુલીએ રાજકારણમાં આવવાથી ના પાડી હોવાના અહેવાલ
મમતાના ગઢમાં મુકાબલો કરવા માટે ચહેરાની તલાશમાં છે ભાજપ
લાંબા સમયથી પ. બંગાળમાં એવી ચર્ચા ચાલે છે કે ચૂંટણીમાં પૂર્વ ભારતીય ક્રિકેટ અને BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ભાજપ પોતાની કેપ્ટન બનાવી શકે છે. જોકે ગાંગુલીએ આ મુદ્દે ક્યારેય કોઈ વાત કહી નથી પરંતુ હવે એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમણે ભાજપ નેતૃવ્ત કહી દીધું છે કે તે રાજકારણમાં આવવા માંગતા નથી અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરવામાં પણ તેમને રસ નથી.
મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપના એક સૂત્રએ કહ્યું કે પાર્ટીની ઈચ્છા હતી કે ગાંગુલી એક મહત્વપૂર્ણ ભૂમિકામાં રહે પરંતુ તેઓ બીજી ભૂમિકામાં વ્યસ્ત રહ્યા. જોકે આજે પરિસ્થિતિ અલગ છે અને અમે બંગાળમાં ખૂબ મોટી રાજકીય શક્તિ બની ગયા છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે ગાંગુલી તરફથી ના પાડ્યા બાદ પાર્ટી તરફથી કોઈ દબાણ પણ કરવામાં આવ્યું નથી.
નોંધનીય છે કે લોકસભામાં સારા પ્રદર્શન બાદ ભારતીય જનતા પાર્ટી બંગાળમાં મમતાના ગઢમાં જ મમતા સામે મુકાબલો કરવા માટે તલપાપડ થઇ રહી છે. ભાજપ પોતાની પૂરી તાકાત લગાવી રહી છે જેથી તે વિધાનસભામાં પણ સત્તામાં આવી શકે. એવામાં પાર્ટી એવા ચહેરાની તલાશમાં છે જે મમતાને ટક્કર આપી શકે. શરૂઆતમાં એવી અટકળો હતી કે ગાંગુલીને મેદાનમાં ઉતારી શકાય છે જોકે હવે તેની શક્યતા ઓછી છે.