ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ બુધવારે એક ટ્વિટ કરીને સનસની મચાવી દીધી હતી.જો કે, ગાંગુલીના આ ટ્વિટનો અર્થ શું હતો, તે હવે સ્પષ્ટ થઈ ગયો છે.
સૌરવ ગાંગુલીએ ટ્વિટ કરીને સનસની મચાવી હતી
જે બાદ રાજકારણમાં જોડાશે તેવી ચર્ચા શરૂ થઈ હતી
જો કે, ગાંગુલી હવે આ ક્ષેત્રમાં નવી શરૂઆત કરી છે
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ બુધવારે એક ટ્વિટ કરીને સનસની મચાવી દીધી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી ફેન્સને કહ્યું હતું કે, તેણે કંઈક નવો કરવાનું પ્લાન બનાવ્યો છે. ગાંગુલીના આ ટ્વીટ બાદ ક્યાસ લગાવામાં આવી રહ્યો હતો કે, તે કોઈ રાજકીય પાર્ટી જોઈન કરશે. શું તે ભાજપ જોઈન કરવાના છે ?
આ અટકળો પર ખુદ ગાંગુલીએ જ વિરામ લગાવી દીધો છે. તેમણે કહ્યું કે, મેં બીસીસીઆઈના પદ પરથી રાજીનામું આપ્યુ નથી અને અન્ય બીજી કોઈ વાત પણ નથી, હું એક નવું એજ્યુકેશન એપ વર્લ્ડ વાઈડ લોન્ચ કરી રહ્યો છું. તે સિવાય અન્ય કોઈ વાત નથી.
I have launched a worldwide educational app: Sourav Ganguly, BCCI President in Kolkata pic.twitter.com/Ku5X5vxyse
ટ્વિટથી મચાવી સનસની, તો જય શાહે અને ગાંગુલીએ સ્પષ્ટતા કરી
હકીકતમાં જોઈએ તો, ગાંગુલીએ બુધવારે એક ટ્વિટ કરીને સનસની મચાવી દીધી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, હું કંઈક એવુ કરવાની યોજના બનાવી રહ્યો છું, જે મને લાગે છે કે, ઘણા બધા લોકોની મદદ કરશે. મને આશા છે કે, મારા જીવના આ અધ્યાયમાં પ્રવેશ કરતા આપ સમર્થન ચાલું રાખશો. સૌરવે આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર તેમના રાજીનામાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.