હાલ સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. એવામાં બીસીસીઆઈ ટૂંક સમયમાં આઈપીએલ અંગે મોટો નિર્ણય લઈ શકે છે. કોરોનાને કારણે પહેલાંથી જ વિંબલડન અને ઓલંપિક રમતો પર ગ્રહણ લાગી ચૂક્યું છે. ત્યારે હવે આઈપીએલનું આયોજન કઈ રીતે કરી શકાય, આ એક મોટો સવાલ છે. હાલમાં દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવામાં આવ્યું છે.
કોરોનાને કારણે વૈશ્વિક સ્તરે રમત જગત ઠપ થઈ ગયું છે
આઈપીએલ 13નું આયોજન આ વખતે મુશ્કેલ
ગાંગુલીએ કહ્યું વર્તમાન સ્થિતિમાં આઈપીએલ અંગે વિચારી પણ ન શકાય
આઈપીએલ 13નું આયોજન હાલની સ્થિતિને જોતાં અનિશ્ચિતકાળ માટે સ્થગિત થવું નક્કી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને જ્યારે આ લીગના આયોજન પર સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, વર્તમાન સ્થિતિમાં આ અંગે વિચારી પણ ન શકાય.
એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા BCCI અધ્યક્ષે કહ્યું કે, અત્યારે જે સ્થિતિ છે તેમાં આઈપીએલનું આયોજન મુશ્કેલ છે. ગાંગુલીએ કહ્યું-અમે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ. હાલ અમે કંઈ કરી શકીશું નહીં. એરપોર્ટ્સ બંધ છે, લોકો ઘરોમાં ફસાયેલા છે, ઓફિસ બંધ છે, કોઈ ક્યાંય જઈ શકતું નથી. એવું લાગી રહ્યું છે કે, મેના મધ્ય સુધી આવું જ ચાલતું રહેશે.
શું કહ્યું ગાંગુલીએ?
ગાંગુલીએ આગળ કહ્યું- જ્યારે સમગ્ર દુનિયા થંભી ગઈ છે ત્યારે એવામાં ખેલાડી કઈ રીતે આવશે અને જો ખેલાડી નહીં આવી શકે તો ટૂર્નામેન્ટનું આયોજન અસંભવ છે. ખેલાડીઓ ક્યાંથી મળશે, ખેલાડીઓ યાત્રા કઈ રીતે કરશે. આ કોમન સેન્સની વાત છે. સમગ્ર દુનિયામાં રમત જગત હાલ થંભી ગયું છે. આઈપીએલ તો ભૂલી જ જાઓ.
ગાંગુલીએ કહ્યું કે, સોમવારે બીસીસીઆઈના અધિકારીઓ સાથેની મીટિંગ બાદ જ બધી બાબતો સ્પષ્ટ થઈ શકશે. ગાંગુલીએ કહ્યું કે,
સમગ્ર દુનિયામાં જનજીવન ઠપ થઈ ગયું છે ત્યારે સ્પોર્ટ્સનું ભવિષ્ય શું હશે, તે અંગે કંઈ ન કહી શકાય. મેંમાં આઈપીએલનું આયોજન કદાચ નહીં થઈ શકે. જેના કારણે બીસીસીઆઈ અને તમામ ફ્રેન્ચાઈઝી ટીમોને ભારે નુકસાન ભોગવવું પડશે.