પૂર્વ ભારતીય કપ્તાન અને ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું આજે ફરી ઓપરેશન છે.
ગાંગુલીની તબિયતને લઇને મોટા સમાચાર
આજે ફરી કરાયા હોસ્પિટલમાં દાખલ
બીજુ સ્ટેન્ટ નાખવામાં આવશે
છાતીમાં દુઃખાવાની ફરિયાદને કારણે ગાંગુલીને બુધવારે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ જ મહિનાની શરૂઆતમાં ગાંગુલીની એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી હતી અને જે બાદ તેમને કહેવામાં આવ્યું હતું કે જરૂર પડશે તો સ્ટેન્ટ મુકવામાં આવશે.
હાલ ગાંગલુને ડૉક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. મંગયલવાર સાંજથી ગાંગુલી અનઇઝીનેસ ફીલ કરી રહ્યાં હતા. બુધવારે આવી જ સ્થિતિ રહેવાને કારણે તેનું ઇસીજી કરવામાં આવ્યું અને રિપોર્ટમાં તેમના બદલાવ જોવામાં આવ્યા હતા. જે બાદ ગાંગલીને ચક્કર આવ્યા અને છાતીમાં થોડી તકલીફ લાગી રહી હતી. જે બાદ પરિવારે નક્કી કર્યુ કે ગાંગુલીને હોસ્પિટલ લઇ જવામાં આવે.
આજે ત્યાં ગાંગુલીનુ ઓપરેશન થશે અને તેના હ્રદયમાં સ્ટેન્ટ મુકવામાં આવશે.
BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની કોલકાતાની વુડલૅન્ડ્સ હોસ્પિટલમાં ઍન્જિયોપ્લાસ્ટી કરાવવામાં આવી હતી. હવે તેમની ફરી એક વખત તબિયત લથડતા વુડલૅન્ડ્સ હોસ્પિટલે કહ્યું છે કે સૌરવ ગાંગુલીને ધમનીઓમાં પરીક્ષણ કરવાનું છે. જેથી તેમને હવે અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
2 ધમની બ્લોક
મળતી માહીતી અનુસાર સૌરવની એન્જીઓપ્લાસ્ટી પૂર્ણ થઇ છે અને તેમને એક સ્ટેન્ટ લગાવવામાં આવ્યું છે. સર્જરી બાદ ગાંગુલીની હાલત સ્થિર છે. શુક્રવારે રાત્રે તેમને હ્રદયમાં દુઃખવાની શરૂઆત થઇ હતી.
ઉલ્લેખનીય છે કે 7 જાન્યુઆરીના રોજ વુડલૅન્ડ્સ હોસ્પિટલથી રજા આપવામાં આવી હતી. 2 જાન્યુઆરીના રોજ સૌરવ ગાંગુલીની તબિયત અચાનક બગડી હતી જેના બાદ તેમને કોલકાતાની વુડલૅન્ડ્સ હોસ્પિટલમાં ભરતી કરાયા હતા.
2 જાન્યુઆરીના રોજ પોતાના ઘરમાં જિમમાં વર્કઆઉટ કરતી વખતે ગાંગુલીને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. ત્યાર બાદ તાત્કાલિક પરિવારે કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
2019માં બન્યા હતા અધ્યક્ષ
ઑક્ટોબર 2019માં મુંબઈમાં બીસીસીઆઈની મહાસભાની બેઠક દરમિયાન ગાંગુલીને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા, જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સંચાલક સમિતિના 33 મહિનાના વિવાદિત કાર્યકાળનો અંત આવ્યો હતો. ગાંગુલી બીસીસીઆઈના 39 મા પ્રમુખ છે. તેમણે સી કે ખન્નાની જગ્યા લીધી, જે 2017 થી બોર્ડના વચગાળાના વડા હતા.