BCCI અધ્યક્ષ સૌરવ ગાંગૂલી આવનારા સમયમાં ખુબ વ્યસ્ત રહેવાનો છે. ભારત ઇંગ્લેન્ડ સિરીઝ બાદ IPLની મૅચ રમાવાની છે જેની વચ્ચે સૌરવે એક નિવેદન આપીને પંતનો બચાવ કર્યો છે.
રિષભ પંત કોરોના પોઝીટીવ
ગાંગુલીએ કર્યો પંતનો બચાવ
જલ્દી સાજો થઇ જશે રિષભ પંત
હાલમાં જ ઇંગ્લેન્ડમાં ઋષભ પંત કોરોના સંક્રમિત થયો છે ત્યારે લોકોએ તેને સલાહ આપી દીધી છે કે માસ્ક પહેર્યુ હોત અથવા સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યુ હોત તો કોરોનાથી બચી શક્યો હોત,ત્યારે તેના બચાવમાં ગાંગૂલી આવ્યો છે.
ગાંગુલીએ શું કહ્યું
જ્યારે ગાંગુલીને સવાલ પૂછવામાં આવ્યો કે કેટલાક ખેલાડીઓ માસ્ક વગર ફરતા હતા તો તમને નથી લાગતુ કે તેમણે સાવધાન રહેવું જોઇતું હતુ. તેના જવાબમાં ગાંગુલીએ કહ્યું કે, અમે ઇંગ્લેન્ડમાં યુરો ચેમ્પિયનશીપ અને વિંબલડન જોયુ છે. નિયમ બદલાઇ ગયા છે. તે રજા પર હતા અને દરેક સમયે માસ્ક પહેરવું શારીરિકરૂપથી અસંભવ હતું અને તમે ટેન્શન ના લો પંત સાજો થઇ જશે.
ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલા ભારતીય વિકેટકીપર બેસ્ટમેન ઋષભ પંતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પંત થોડા દિવસો પહેલા જ યુરો કપમાં ઈંગ્લેન્ડ અને જર્મનીની વચ્ચેનો મુકાબલો જોવા માટે લંડનના વેમ્બલે સ્ટેડિયમ ગયા હતા. સ્ટેડિયમમાં પંત હજારો લોકોની વચ્ચે વગર માસ્ક પહેરે ફેન્સની સાથે તસ્વીર પણ પડાવતા જોવા મળી રહ્યા છે. પંતની આ ભૂલ તેને ભારે પડી છે અને તે કોરોના વાયરસનો શિકાર બન્યા છે. પંતને 18 જુલાઈ સુધી આઈસોલેશનમાં રાખવા માટે કહેવામાં આવ્યું છે. ત્યાર બાદ ફરી વખત તેમનો કોરોના ટેસ્ટ થશે. જો તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તો જ તે ડરહમમાં 20 જુલાઈએ થનાર ટેસ્ટમેચનો ભાગ બની શકશે.
જણાવી દઈએ કે બીસીસીઆઈ સચિવ જય શાહે બ્રિટનમાં હાજર ભારતીય ટીનમે હાલમાં જ ઈ-મેલ મેકલીને ત્યાના કોવિડ-19ના વધતા કેસને લઈને ચેતવ્યા છે. બીસીસીઆઈના એક સૂત્રોએ જણાવ્યું કે, "હા એક ખિલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પરંતુ હાલ તેમનામાં કોઈ લક્ષણ જોવા નથી મળી રહ્યા. તે હાલમાં પોતાના એક સંબંધીને ત્યા તેના ધરમાં ક્વોરન્ટાઈન છે અને ગુરુવારે ટીમની સાથે ડરહમ નહીં જઈ શકે."
ખેલાડીઓને ભીડમાં જવાની મનાઈ
શાહે પોતાના પત્રમાં ખેલાડીઓને ભીડ ભાડ વાળા વિસ્તારોમાં જવાથી બચવા માટે કહ્યું હતું કારણ કે કોવિશીલ્ડ વેક્સિનથી ફક્ત સંક્રમણથી હચાવ થાય છે. તે વાયરસ વિરૂદ્ધ સંપૂર્ણ સુરક્ષિત નથી. શાહે પોતાના પત્રમાં જણાવ્યું કે ખેલાડી હાલમાં જ પુરુ થયેલી વિંબલડન ટેનિસ ચેમ્પિયનશિપ અને યુરો ફુટબોલ ચેમ્પિયનશિપમાં જવાથી બચે. ભારતીય ટીમને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ચાર ઓગસ્ટથી પાંચ ટેસ્ટની સિરીઝ રમવાની છે.
ઈંગ્લેન્ડના ત્રણ ખેલાડિઓ સહિત સાત સદસ્ય કોરોના પોઝીટીન થયા હતા
જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ઈંગ્લેન્ડના ત્રણ ખેલાડિઓ સહિત સાત સદસ્ય કોરોના પોઝિટિવ થયા હતા. ત્યાર બાદ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડને પાકિસ્તાનની સામે 18 સદસ્યની નવી ટીમની જાહેરાત કરવી પડી હતી. તેમાંથી 9 ખેલાડી એવા હતા જે પહેલા વખત ટીમનો ભાગ બન્યા હતા.