ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સોમવારે હાર્દિક પંડ્યાને લઈને મોટો ખુલાસો કર્યો હતો. તેણણે જણાવ્યું કે, ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ક્રિકેટ રમવા માટે હજુ ફિટ નથી. એટલે સુધી કે તે અત્યારે ઘરેલુ ફોર્મેટમાં રમવા માટે પણ ફિટ નથી. હાર્દિકે ઓક્ટોબરમાં તેની પીઠની સર્જરી કરાવી હતી અને તેની રિકવરી ચાલી રહી છે.
સૌરવ ગાંગુલીએ કર્યો મોટો ખુલાસો
હાર્દિક પંડ્યા ઘરેલુ ફોર્મેટમાં રમવા માટે પણ ફિટ નથી
હાર્દિકે ઓક્ટોબરમાં તેની પીઠની સર્જરી કરાવી હતી
26 વર્ષીય આ ઓલરાઉન્ડરને ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝ માટે ઈન્ડિયા એ ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ ઈન્જરીને કારણે તે ટીમમાંથી બહાર થઈ ગયો હતો. તે આ મહિનાની શરૂઆતમાં મુંબઈમાં ઓસ્ટ્રેલિયા સામે વનડેથી પહેલાં નેટ્સમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનને બોલિંગ કરતાં જોવા મળ્યો હતો. તે જોઈને લાગ્યું કે તે જલ્દી રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરશે. પરંતુ બીસીસીઆઈના પ્રમુખના અપડેટથી એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે, હાર્દિક ટીમમાં વાપસી નહીં કરી શકે.
Surgery done successfully 🥳
Extremely grateful to everyone for your wishes ❣️ Will be back in no time! Till then miss me 😉 pic.twitter.com/XrsB8bWQ35
ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટને આ વાત સ્પષ્ટ કરી છે કે, હાર્દિક ઘરેલુ મેચ માટે ફિટ નથી. તેમણે જણાવ્યું કે. તેનું બેંગલુરુ સ્થિત રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં પ્રશિક્ષણ ચાલી રહ્યું છે, જેથી તે ન્યૂઝીલેન્ડ પ્રવાસથી બહાર છે. હવે એવી આશા છે કે તે આઈપીએલ2020માં વાપસી કરશે.
હાર્દિકે છેલ્લીવાર ભારત માટે સપ્ટેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે ઘરેલુ ટી20 સીરિઝ રમી હતી. તેણે છેલ્લી વનડે મેચ ગયા વર્ષે ઈંગ્લેન્ડમાં આઈસીસી વર્લ્ડ કપમાં રમાયેલી સેમી ફાઈનલ રમી હતી. તેણે છેલ્લી ટેસ્ટ મેચ ઓગસ્ટ-સપ્ટેમ્બર 2018માં ઈંગ્લેન્ડમાં રમી હતી.