ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માં હવે 'દાદાગીરી' ચાલશે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બુધવારે સત્તાવાર રીતે બીસીસીઆઇના અધ્યક્ષ બની ગયા છે. મુંબઇમાં બીસીસીઆઇના હેડક્વાર્ટરમાં વાર્ષિક બેઠક એજીએમમાં ગાંગુલી અને તેમની ટીમને કાર્યભાર સોંપવામાં આવ્યો.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં હવે 'દાદાગીરી' ચાલશે
સૌરવ ગાંગુલી બુધવારે સત્તાવાર રીતે બીસીસીઆઇના અધ્યક્ષ બન્યા
સૌરવ ગાંગુલી માત્ર 9 મહીના જ આ પદ પર બની રહેશે
'બંગાળ ટાઇગર' ગાંગુલીના બીસીસીઆઇ બોસ બનતા જ સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત સંચાલકોની સમિતિ (COA) ના 33 મહીનો કાર્યકાળ પણ સમાપ્ત થઇ ગયો.
ગાંગુલીના બીસીસીઆઇ અધ્યક્ષ બનવાથી ક્રિકેટ ફેન્સ ખુબ જ ખુશ છે. પરંતુ ઘણા લોકોના મનમાં સવાલ ચાલી રહ્યો છે કે તે માત્ર 9 મહીના જ કેમ આ પદ પર બની રહેશે. 'પ્રિન્સ ઓફ કોલકાતા' જુલાઇ 2020 સુધી રહેશે. ત્યારબાદ કુલિંગ ઓફ પીરિયડ ચાલશે, જેના પગલે તેમને પોતાના અધ્યક્ષ પદની જવાબદારીથી મુક્ત થવું પડશે.
કાર્યકાળ માત્ર 9 મહીના કેમ
બીસીસીઆઇના નવા સંવિધાનની જોગવાઇ મુજબ, એક વહીવટીય અધિકારી માત્ર 6 વર્ષ બોર્ડમાં પોતાની સેવાઓ આપી શકે છે. ગાંગુલી ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પહેલા સચિવ અને ત્યારબાદ અધ્યક્ષ રૂપે પાંચ વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે.
એવામાં વહીવટીય અધિકારી તેમની સેવા 9 મહીનાની બાકી છે. આ કારણ છે કે ગાંગુલીનો કાર્યકાળ 9 મહીના સુધી ચાલશે અને ત્યારબાદ તે કુલિંગ ઓફ પીરિયડ પર ચાલ્યા જશે.