ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ અનુભવી વિકેટકિપર બેટ્સમેન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો બચાવ કર્યો છે.
ધોનીને વર્લ્ડ કપમાં અફધાનિસ્તાન સામે ખરાબ ઇનિંગ રમવાને કારણે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ધોનીએ સાઉથેમ્પ્ટનમાં થયેલી મેચમાં અફધાનિસ્તાન વિરુદ્ઘ રાશિદ ખાનની બૉલ પર સ્ટમ્પિંગ થઇને પવેલિયન પરત ફર્યો. કેણે 52 બૉલમાં માત્ર 28 રન કર્યા અને જ્યારે ટીમે 224 રન જ કરી શકી. જોકે ટીમ ઇન્ડિયા આ મેચ જીતવા માટે સફળ રહી.
સચિન તેંડુલકર સહિત ઘણા ખિલાડીઓ તેની ધીમી ઇનિંગને કારણે ધોનીની ટીકા કરી, પરંતુ સૌરવ ગાંગુલીએ માન્યુ કે, આ માત્ર એક જ વખત થયુ છે અને ટૂર્નામેન્ટની બાકી બચેલી મેચમાં તે ટીમને ખૂબ જ મદદમાં આવશે.
એક ઇન્ટરવ્યૂમાં ગાગુંલીએ કહ્યુ કે, ''ધોની સારો બેટ્સમેન છે અને અફધાનિસ્તાન સામે ખરાબ પ્રદર્શન પછી પણ આ વર્ષે વર્લ્ડ કપમાં નિશ્ચિત રીતે પોતાને સાબિત કરશે, તે માત્ર એક જ મેચ ખરાબ રમ્યો છે.''
ધોનીની ટીકા કરવાના કારણે ધોનીના પ્રશંસકોએ સોશ્યલ મીડિયા પર તેંડુલકર સામે નારાજગતી વ્યક્ત કરી હતી. જોકે વર્લ્ડ કપમાં અત્યાર સુધી ધોનીએ 4 મેચમાં 90 રન કર્યા છે.