કોરોનાના કેસ અચાનક વધી ગયા છે. બંગાળ સહિત 3 રાજ્યોમાં સૌથી વધારે અસર જોવા મળી રહી છે.
બંગાળ સહિત 3 રાજ્યોમાં સૌથી વધારે કેસ આવી રહ્યા છે
કેસ વધવાનું કારણ દુર્ગા પૂજા અને દશેરા સમારોહ હોઈ શકે
શનિવારે 15,918 નવા મામલા નોંધાયા
બંગાળ સહિત 3 રાજ્યોમાં સૌથી વધારે કેસ આવી રહ્યા છે
કોરોના સંક્રમણના મામલા અચાનક વધી ગયા છે. બંગાળ સહિત 3 રાજ્યોમાં સૌથી વધારે અસર જોવા મળી રહી છે. આનું કારણ હાલમાં જ સંપન્ન થયેલી દુર્ગા પૂજા અને દશેરા સમારોહ હોઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં શનિવારે વાયરસના 974 નવા મામલા નોંધાયા છે જે આ વર્ષે 10 જુલાઈ બાદ 3 મહિનામાં રાજ્યના સૌથી વધારે એક દિવસની સંખ્યા છે. ગત 4 દિવસોમાં બંગાળામાં દૈનિક મામલાની સંખ્યામાં 800થી વધારે થઈ છે. આ અઠાવાડિયાના મામલામાં વૃધ્ધિ જોવા મળનારા બે રાજ્યોમાં આસામ અને હિમાચલ પ્રદેશ છે.
શનિવારે 15,918 નવા મામલા નોંધાયા
ભારતમાં શનિવારે 15,918 નવા મામલા નોંધાયા. જેમાં મણિપુર અને ઝારખંડના આંકડા મોડી રાત સુધી મળ્યા નહોંતા. પ. બંગાળમાં આ અઠવાડિયે સંક્રમણમાં સ્પષ્ટ વૃદ્ધિ થઈ છે. ગત 7 દિવસોમાં રાજ્યોએ 5560 નવા મામલાની ખબર પડી છે. જે ગત 7 દિવસો(4,329)ની સરખામણીમાં 28.4 ટકા વધારે છે.
કેસમાં 10. 4 ટકાની વૃદ્ધિ જોઈ શકાય
આ પ્રમુખ કારણ દુર્ગા પુજા ઉત્સવ હોઈ શકે છે. જો કે ગત 7 દિવસોની સંખ્યાની સરખામણીએ 3 અઠવાડિયા પહેલા 5,038ની સંખ્યાની સાથે કરવા પર પણ મામલામાં 10. 4 ટકાની વૃદ્ધિ જોઈ શકાય છે. આ મામલામાં આસામમાં ગત 7 દિવસમાં મામલામાં 50.4 ટકાની વૃદ્ધિ જોઈ શકાય છે. ગત સાત દિવસોમાં 14,54ની સરખામણીમાં આ સમય દરમિયાન રાજ્યમાં 2, 187 નવા સંક્રમણ નોંધાયા છે.
હિમાચલમાં અઠવાડિયાની સરખામણીએ 38. 4 ટકાની વૃદ્ધિ જોવા મળી
હિમાચલ પ્રદેશમાં 7 દિવસોની ગણતરીમાં 38. 4 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. રાજ્યના ગત 7 દિવસોમાં 914ની સરખામણીએ 7 દિવસોમાં 1265 મામલા નોંધાયા. શનિવારે હિમાચલ પ્રદેશમાં 257 નવા મામલા સામે આવ્યા. જે 21 સપ્ટેમ્બરે 345 મામલા સામે આવ્યા બાદથી એક મહિનામાં સૌથી વધારે છે.
કેરળમાં 8909 નવા મામલા આવ્યા
શનિવારે કેરળમાં 8909 નવા મામલાની ખરાઈ થઈ છે. કેરળ ઉપરાંત મહારાષ્ટ્રમાં 1701 નવા મામલા સામે આવ્યા છે. આ બાદ તમિલનાડુમાં 1140 મામલા સામે આવ્યા છે. શનિવારે વાયરસથી 159 મોત થયા છે. જે ગત 2 દિવસોમાં 202 અને 231થી વધારે છે. કેરળમાં શુક્રવારે 99થી નીચે 65 મોત નોંધાયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 33, તમિલનાડુમાં 17 અને બંગાળમાં 12 લોકોના મોત થયા.