હિંદુ ધર્મના પૌરાણિક ગ્રંથો અનુસાર મૃત્યુ બાદ દરેક લોકોનું પિંડદાન કરવામાં આવે છે. માન્યતા છે કે પિતૃ તર્પણનું ખૂબ મહત્વ છે. એ અનુસાર પોતાના પૂર્વજોનું પિંડ તર્પણ કરીને એમને મુક્તિ મળે છે અને એ પ્રત યોનીથી હંમેશા માટે મુક્ત થઇ જાય છે. વાસ્તવમાં મર્યા બાદ પિંડદાન કરવાથી અતૃપ્ત આત્માઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરંતુ ઘણા બધા લોકો એવા છે જેમને ખબહ નથી કે પિંડ તર્પણ કરવા માટે સાચી જગ્યા કઇ છે. તો ચલો અમે તમને જણાવીએ તે મૃત્યુ બાદ ભટકતી આત્માઓને ક્યાં સહારો મળે છે.
પુરાણો અનુસાર મૃત્યુ બાદ પણ માણસની આત્માઓ કોઇના કોઇ રૂપે શ્રાદ્ધ પક્ષમાં પોતાના પરિજનોને આશીર્વાદ આપવા માટે ધરતી પર આવે છે. પિતરોના પરિજન એમનું તર્પણ કરને એમને મુક્તિ અપાવે છે. શ્રાદ્ધનો અર્થ છે તમારા પિતરો પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરવી. આ તીર્થસ્થળો પર શ્રાદ્ધ કરવાથી મુક્તિ મળે છે.
શાંતિકુંજને વેદમાતા ગાયત્રીનું નિવાસ સ્થાન કહેવામાં આવે છે. એટલા માટે કહેવામાં આવે છે કારણ કે અહીંયા સાક્ષાત ગાયત્રી માતા અને યજ્ઞ ભગવાન નિવાસ કરે છે. શાંતિકુંજમાં બાર માસ શ્રાદ્ધ કર્મ સંપન્ન કરવામાં આવે છે.
તીર્થરાજ પ્રયાગમાં ત્રણ પ્રમુખ નદીઓ ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે. પિતૃપક્ષમાં મોટી સંખ્યામાં લોકો અહીંયા પોતાના પૂર્વજોને શ્રાદ્ધ આપવા આવે છે.
ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે સ્થિત સિદ્ધનાથમાં લોકો પિતરોને શ્રાદ્ધ અર્પિત કરે છે.