સૂર્યવંશી વિશે શરૂઆતથી લોકોમાં ભારે ચર્ચા જગાવી છે. બીજી તરફ દિવાળીની લાંબી રજાઓનો ફાયદો ફિલ્મને મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.સૂર્યવંશીએ પહેલા દિવસે સારી કમાણી કરી હતી.
અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'સૂર્યવંશી' આ દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. પહેલા દિવસે ધમાકેદાર કમાણી કર્યા બાદ રોહિત શેટ્ટીની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. દિવાળીની લાંબી રજાઓનો ફાયદો ફિલ્મને મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. 'સૂર્યવંશી'એ રિલીઝના પહેલા દિવસે 26.29 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે તેની બીજા દિવસની કમાણીનો આંકડો પણ સામે આવી ગયો છે.
બીજા દિવસે સૂર્યવંશીની કમાણી
ફિલ્મ 'સૂર્યવંશી' શરૂઆતથી જ જબરદસ્ત ચર્ચા રહેલી છે. અક્ષય કુમાર અને કેટરિના કૈફના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. મુંબઈ અને નાના શહેરોમાં પણ આ ફિલ્મનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ફિલ્મે બીજા દિવસે 24.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
અક્ષય અને કેટરીનાની ફિલ્મે પહેલા દિવસની સરખામણીએ બીજા દિવસે થોડી ઓછી કમાણી કરી છે. એવી અપેક્ષા છે કે 'સૂર્યવંશી' રવિવારે વધુ સારો બિઝનેસ કરશે. અક્ષયની ફિલ્મે બે દિવસમાં 50 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મે વિદેશોમાં પણ સારી કમાણી શરૂ કરી દીધી છે. ફિલ્મ 'સૂર્યવંશી' ભારતમાં 4 હજારથી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. તેને વિદેશમાં 1300 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અક્ષય અને કેટરીના સિવાય રણવીર સિંહ અને અજય દેવગન પણ છે. ગુલશન ગ્રોવર, સિકંદર ખેર, અભિમન્યુ સિંહ અને જાવેદ જાફરીએ ફિલ્મમાં સહાયક ભૂમિકા ભજવી છે. 'સૂર્યવંશી' રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ, રોહિત શેટ્ટી પિક્ચર્સ, ધર્મા પ્રોડક્શન્સ અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરવામાં આવી છે.