દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના નિધન બાદ અભિનેતા સૂરજ પંચોલીનું નામ એકવાર ફરી ચર્ચામાં આવી ગયું છે. સોશિયલ મીડિયા પર દિશા અને સૂરજના સંબંધો અંગે લખવામાં આવી રહ્યું છે. સૂરજે શનિવારે એક નિવેદન જારી કરી આ તમામ વાતોને અફવા ગણાવી છે. સૂરજે કહ્યું, સુશાંત સાથે ક્યારેય તેનો ઝઘડો થયો નથી અને સુશાંતની પૂર્વ મેનેજરને તે ઓળખતો પણ નથી.
સુશાંત તેની પાછળ અનેક સવાલો છોડીને ગયો છે
હવે સૂરજ પંચોલીને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહી છે ચર્ચા
સૂરજ અને સુશાંતની પૂર્વ મેનેજર દિશા વચ્ચે સંબંધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે
અત્યારે સોશિયલ મીડિયા પર અનેક વાતો ચર્ચાઈ રહી છે, જેમાંથી એક કિસ્સો દિશા અને સુશાંતની મોતના તાર સૂરજ પંચોલી સાથે જોડાયેલા હોવાની ચર્ચા છે. આ કિસ્સામાં એવું કહેવાય રહ્યું છે કે, જ્યારે દિશા સાલિયાન સૂરજના બાળકની માતા બનવાની હતી ત્યારે 3 વર્ષ પહેલાં સુશાંત અને સૂરજ વચ્ચે આ જ બાબતને લઈને મારામારી થઈ હતી. સુશાંત સૂરજની આ હરકતનો ખુલાસો કરવાનો હતો પરંતુ સલમાન ખાને વચ્ચે પડીને મામલો થાડે પાડી દીધો. આ તમામ આરોપો પર ચૂપ્પી તોડતા સૂરજે કહ્યું કે, સુશાંત સાથે ઝઘડો તો દૂર તેની સાથે ક્યારેય કોઈ વિવાદ થયો નથી.
સૂરજે આગળ કહ્યું- સુશાંતથી જોડાયેલી તમામ વાતો અંગે હું પહેલાં જ સફાઈ આપી ચૂક્યો છું અને સલમાન મારી લાઈફમાં કેમ દખલ કરશે. તેમને શું બીજું કોઈ કામ નથી. હું તો દિશાને ઓળખતો પણ નથી. ના તો ક્યારેય તેને મળ્યો છું. મને તો સુશાંતની મોત બાદ તેની વિશે ખબર પડી અને મને દુઃખ પણ થયું હતું. કોઈએ આ તમમામ વાતોને તેના પર્સનલ ફેસબુક પેજ પર એક ફિલ્મની પટકથાની જેમ લખી દીધું અને બધાંએ તેને હકીકત માની લીધું.
આ બધાંને કારણે સૂરજનો પરિવાર પરેશાન છે. ત્યારે તેના પિતા આદિત્ય પંચોલીએ કહ્યું- મારા દિકરાને આ બધાંમાં કેમ વચ્ચે લાવવામાં આવી રહ્યો છે. હકીકત એક દિવસ સામે આવી જવાની છે, પણ જો મારા દિકરાએ કંઈ કરી લીધું, તો તેનું જવાબદાર કોણ હશે. તે પહેલાં જ 7-8 વર્ષથી ખરાબ સમયમાંતી પસાર થઈ રહ્યો છે. કોઈકે ઓનલાઈન અફવા ફેલાવી દીધી અને લોકો તેને શેર કરી રહ્યાં છે અને મારા દિકરાને વિલન બનાવી દીધો છે. કાયદાથી ઉપર કંઈ નથી. સૂરજ અને સુશાંત સારા મિત્રો હતો. જો દિશા પ્રેગ્નેન્ટ હતી તો પોલીસ રેકોર્ડમાં કેમ ન આવ્યું.
સુશાંતની સાથે કોઈપણ પ્રકારની દુશ્મનાવટને લઈને સૂરજે કહ્યું- તે એક સીનિયર અભિનેતા હતો અને સફળ પણ હતો. હું તેની બરાબર ન કરી શકું. તે મને નાના ભાઈની જેમ સમજતો હતો. અમે હમેશાં એકબીજાની ફિલ્મો અને ફિટનેસ ટ્રેનિંગ વિશે વાત કરતા હતા. 2017માં અમારી વચ્ચે ઝઘડો થવાના સમાચાર આવ્યા તો સુશાંતે મને ફોન કર્યો અને કહ્યું કે, એક ફાલતૂ આર્ટિકલ છપાયો છે જેમમાં લખ્યું છે કે સલમાન ભાઈ મારાથી નારાજ છે, શું તુ મને જણાવી શકે છે.
સૂરજે આગળ જણાવ્યું- સુશાંતને લાગ્યું કે અમે બંને આ વિશે વાત કરી લઈશું તો બધું ક્લિઅર થઈ જશે. જેથી અમે એક મિત્રના ત્યાં બાન્દ્રામાં ડિનર પર મળ્યા હતા. ત્યાં અમે વિચિત્ર તસવીરો પણ લીધી. જેમાં અમે બતાવી રહ્યાં છે કે અમે લડી રહ્યાં છીએ. અમારા બંને પાસે એકબીજાનો નંબર પણ હતો. તેણે મને તેની ફિલ્મની સ્ક્રીનિંગ માટે કોલ પણ કર્યો હતો અને હું પોતે રાબતાની સ્ક્રીનિંગમાં ગયો હતો. અમે ચારથી પાંચવાર મળ્યા હતા.