સુશાંત સિંહ રાજપૂતે 34 વર્ષની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કહી દીધું. તેના નિધનથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સાથે તેના ફેન્સને પણ મોટો ઝટકો લાગ્યો છે. સુશાંતના નિધન પહેલાં તેની એક્સ મેનેજર દિશા સાલિયાને પણ આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત અને દિશાના નિધન બાદથી જ બોલિવૂડ એક્ટર સૂરજ પંચોલી પર ઘણાં આરોપો લાગી રહ્યાં છે અને એવું પણ કહેવાઈ રહ્યું છે કે, સુશાંત અને સૂરજની વચ્ચે મારામારી પણ થઈ હતી. આ આરોપોને કારણે હવે એક્ટર ખૂબ ભડક્યો છે. સાથે જ તેણે સુશાંત અને દિશા સાલિયાનના નિધનને લઈને લાગેલાં આરોપોનું ખંડન કર્યું છે.
સુશાંતે 34 વર્ષની ઉંમરે જ દુનિયાને અલવિદા કહી દીધું
સુશાંતની મોત બાદથી જ સૂરજ પંચોલી પર લાગી રહ્યાં છે આરોપો
સૂરજ પંચોલીએ એક ઈન્ટરવ્યૂમાં સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાનના નિધન વિશે વાત કરતાં જણાવ્યું કે સુશાંતની સાથે ક્યારેય મારામારી થઈ છે? તો સૂરજે કહ્યું મારો સુશાંત સાથે ક્યારેય કોઈ ઝઘડો થયો નથી. આ વિશે હું પહેલાં પણ સ્પષ્ટતા કરી ચૂક્યો છું અને સલમાન ખાન મારા જીવનમાં કેમ દખલ કરશે. તેમની પાસે બીજું કોઈ કામ નથી. મને તો દિશા કોણ છે એ સુધ્ધા ખબર નથી. હું મારી લાઈફમાં દિશાને ક્યારેય મળ્યો પણ નથી. સુશાંતના નિધન બાદ મને દિશા વિશે ખબર પડી અને મને તેના પરિવાર માટે દુઃખ છે. કોઈએ આ વાત તેના પર્સનલ ફેસબુક એકાઉન્ટ પર લખી હતી.
તમને જણાવી દઈએ કે 14 જૂને સુશાંતે તેના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. એક્ટરના નિધનથી તેના ફેન્સને મોટો ઝટકો લાગ્યો હતો. સુશાંતના નિધનને લઈને તેના ફેન્સ સોશિયલ મીડિયા પર સતત સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યાં છે. આ સાથે જ તેઓ નેપોટિઝ્મ સામે પણ અવાજ ઉઠાવી રહ્યાં છે. ત્યારે હાલમાં જ સુશાંતે જે કપડાંથી ફાંસો ખાધો હતો તેને તપાસ માટે મોકલવામાં આવ્યો છે.