ફેબ્રુઆરીથી જો તમે IRCTC દ્વારા એર ટિકિટ ખરીદશો તો તમને ફ્રીમાં 50 લાખ રૂપિયાનો વીમો મળશે. IRCTC ભારતીય રેલનું ઇ-ટિકિટિંગ અને કેટરિંગ આર્મ છે. જણાવી દઇએ કે તમામ ખાનગી ટ્રાવેલ પોર્ટલ એર ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટે એક નિશ્ચિત રકમ વસૂલે છે. IRCTCના ચેરમેને કહ્યુ કે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમામ ઘરેલૂ તથા આંતરરાષ્ટ્રીય રૂટોના હવાઇ યાત્રીઓને મળશે ટિકિટ કોઇપણ ક્લાસની હોય વીમો મળશે. દુર્ઘટનામાં મોત કે સંપૂર્ણ અપંગતાની સ્થિતિમાં પેસેન્જરના પરિવાર અને પીડિતને નાણાકીય સુરક્ષા મળશે.
IRCTCએ કહ્યુ કે યાત્રીઓની સુરક્ષા માટે વીમા પ્રીમિયમનો ખર્ચો પોતે ઉઠાવશે. IRCTCએ ચેરમેને જણાવ્યુ કે હવાઇ મુસાફરીને અવરોધ રહિત બનાવવા માટે નિર્ણય લેવાયો છે. IRCTCના એર ટિકિટિંગ પોર્ટલ પરથી બુક કરાવાયેલા વન વે અને રાઉન્ડ ટ્રિપ્સ બંને પ્રકારની ટિકિટો પર ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કવર મળશે. અધિકારીઓના મતે અન્ય ટ્રાવેલ પોર્ટલ્સને પડકાર આપવા ગૂગલ સાથે પણ કરાર કરવાની યોજના બનાવી રહ્યા છે.
સૂત્રોનુસાર હાલ IRCTC પ્લેટફોર્મ પરથી 6000 એરટિકિટ બુક થાય છે. અન્ય ટ્રાવેલ પોર્ટલ પ્રતિ ટિકિટ 200 રૂપિયા સુધી ફ્રી લે છે. જ્યારે IRCTC 50 રૂપિયા લે છે અને કોઇ કેન્સલેશન ચાર્જ પણ લેવાતો નથી. IRCTC હોટલ બુકિંગની સુવિધા પૂરી પાડે છે જેની કોઇ ફી વસૂલાતી નથી. એક અધિકારીએ જણાવ્યુ કે ''અમે અમારી વફાદાર ગ્રાહકોને કેશબેક આપવા માટેની પણ વ્યવસ્થા કરી રહ્યા છીએ.''