કોરોનાકાળમાં મદદ કરવા માટે આગળ આવેલા સોનૂ સુદની મુશ્કેલીઓ વધી શકે છે.
સોનૂ સુદ પર તપાસનો આદેશ
કોરોનાની દવા ક્યાંથી લાવ્યા તે મુદ્દે આદેશ
મુંબઇ કોર્ટે આપ્યા તપાસના આદેશ
બોમ્બે હાઇકોર્ટે બુધવારે મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ કર્યો કે લોકો માટે કોરોનાની દવાની ખરીદી માટે સોનૂ સુદની ભૂમિકાની તપાસ કરવામાં આવે. સાથે જ કોર્ટે કોંગ્રેસ વિધાયક ઝીશાન સિદ્દીકી વિરુદ્ધ પણ તપાસના આદેશ આપ્યા છે.
હાઇકોર્ટે કહ્યું કે આ લોકોએ પોતાની જાતને મસીહારૂપે બતાવ્યા છે અને તે વાતની તપાસ પણ કરવામાં આવે કે દવાઓ નકલી તો નહોતી ને અને લીગલ રીતે ખરીદવામાં આવી હતી કે નહી, ન્યાયમૂર્તિ SP દેશમુખ અને ન્યાયમૂર્તિ GS કુલકર્ણીની પીઠને મહાધિવક્તા આશુતોષ કુંભકોણીએ કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે ચેરિટેબલ ટ્રસ્ટ BDR ફાઉન્ડેશન તેમજ તના ન્યાસિયા વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. જે બાદ પીઠે મહારાષ્ટ્ર સરકારને તપાસના આદેશ આપ્યા હતા.
કુંભકોણીએ કહ્યું કે સિદ્દીકી માત્ર તે જ નાગરિકોને દવા પહોંચાડી રહ્યાં છે જેમનો તે લોકો સંપર્ક કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે ગોરેગાવથી સોનૂ સૂદે દવાઓ ખરીદી હતી.
મહત્વનું છે કે કોરોના બીજી લહેરમાં સોનૂ સૂદે દરેકને ઓક્સિજન અને દવાઓ પહોંચાડી હતી. હવે આ મુદ્દે તપાસના આદેશ આવ્યા છે.
સોનૂની દરિયાદીલી જોઇને લોકો તેને એક સવાલ જરૂર કરે છે કે તમે રાજનીતિમાં ક્યારે આવો છો ત્યારે સોનુ હંમેશા મૌન પાળે છે પરંતુ હાલમાં તેણે જવાબ આપ્યો છે કે તે ક્યારે રાજનીતિમાં આવશે.
હાલ હું તૈયાર નથી
સોનૂ સુદે કહ્યું કે ફેન્સને એવુ લાગે છે કે હું રાજનીતિમાં આવીશ પરંતુ હું હાલ તૈયાર નથી. રાજનીતિ કમાલનું ક્ષેત્ર છે પરંતુ લોકોએ તેને નવો રંગ આપી દીધો છે અને હાલ મારે એક્ટર તરીકે ઘણુ બધુ કરવાનુ બાકી છે.
છત પર ચડીને કરીશ એલાન
સોનૂ સુદે આગળ કહ્યું કે, મને રાજનીતિથી કોઇ વાંધો નથી પરંતુ હું હમણા તૈયાર નથી અને હાલ હું લોકોને મદદ કરવા ઇચ્છુ છુ. જ્યારે મને લાગવા લાગશે કે હું હવે તૈયાર છુ તો છત પર ચડીને એલાન કરીશ કે હવે હું રાજનીતિમાં આવવા માટે તૈયાર છું.
એક યુવકની ઉંમર માત્ર 25 વર્ષની છે. કોરોનાને કારણે તેના ફેફસા ખરાબ થઈ ગયા છે. સાર્થક અત્યારે જીવન અને મરણની લડાઈ લડી રહ્યો છે. દિકરા પર આ સંકટ જોઈ પરિવાર બેહાલ છે. ઈલાજ માટે 2 કરોડનો ખર્ચ થશે. હવે આટલી મોટી રકમ પરિવાર માટે ભેગી કરવી મુશ્કેલ છે. જેથી પરિવારે લોકોને મદદ કરવા અપીલ કરી.
સાર્થક હાલમાં મોહક હોસ્પિટલમાં દાખલ છે. તેનું સીઆરપી સ્તર વધ્યું છે અને ઓક્સિજનનું સ્તર ઝડપથી ઘટતું જાય છે. તેની સારવાર શહેરની અન્ય હોસ્પિટલોમાં પણ કરવામાં આવી છે, પરંતુ સાર્થકની હાલત એટલી નાજુક છે કે તેને 7 દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. આ યુવકના પિતા નીતિન ગુપ્તા વ્યવસાયે એડવોકેટ છે. તેઓ પરિવારમાંથી તેમના એકમાત્ર દિકરા માટે જે પણ શક્ય બન્યું તે કર્યું છે. હવે સારવાર પાછળ થયેલા આટલા ખર્ચને ધ્યાનમાં રાખીને તેમના માટે આટલી રકમ ભેગી કરવી શક્ય નથી.