ચાર દિવસની IT રેડ બાદ સોનુ સુદે મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. સોનુએ કહ્યું કે ઓફીસરે જોયુ કે ઘરની નીચે મદદ માંગનારા લોકો ઉભા રહે છે.
સોનુ સુદનું નિવેદન આવ્યું સામે
ITની રેડ બાદ સોનુએ કર્યો ખુલાસો
હોસ્પિટલ બનાવવાની છે ઇચ્છા
ટેક્સ ચોરીના આરોપ પર બોલ્યો સોનુ
સોનુ પર પહેલા આરોપ હતો કે તેણે ટેક્સ ચોરી કરી છે એટલે કે દાનમાં આવેલા પૈસા ખર્ચ કર્યા નથી. તેના પર સોનુ બોલ્યો કે જે લોકોએ મને પૈસા આપ્યા તેના બદલામાં મારી જવાબદારી હતી કે તેને યોગ્ય જગ્યાએ ખર્ચ કરું.
સોનુએ કહ્યું કે હું જેટલી બ્રાન્ડ એડ કરુ છુ તેમને કહું છુ કે તમે પ્રયત્ન કરો કે મેજર અમાઉન્ટ ફાઉન્ડેશનમાં આપે, જેથી અમે લોકોની મદદ કરી શકીએ. કેટલીક હોસ્પિટલમાં મારા પૈસા પડ્યા હતા જેમને હું કહેતો હતો કે હું દર્દી મોકલીશ અને મે મોકલ્યા પણ હતા.
મારા ફાઉન્ડેશનમાં એવું છે કે સોનુ એન્ડોર્સમેન્ટ કરશે પરંતુ ફી નહી લે અથવા તો તેના કેટલાક ટકા દાનમાં આવશે. તે સાથે જ સોનુએ વિજયવાડાના બાળકોને અપાયેલી પીગી બેન્ક પણ બતાવી જેમાંથી એક રૂપિયો પણ ખર્ચ નહોતો થયો.
સોનુએ કહ્યું કે આ વર્ષોથી પડેલા પૈસા નથી પરંતુ તે છે જે છેલ્લા 3 કે 4 મહીનામાં આવ્યા છે. અમે 2 કરોડ ખર્ચ્યા સાચી વાત છે પરંતુ યોગ્ય કામમાં પૈસા ખર્ચવામાં સમય લાગે છે.
મારી સાથે દેશના તે લોકો છે જેમને લાગે છે કે આ તે વ્યક્તિ છે જે ખરેખરા અર્થમાં લોકો સુધી મદદ પહોંચાડશે.
જણાવી દઈએ કે સોનુ સૂદના મુંબઈ સ્થિત ઘર સહિત નાગપુર, જયપુરમાં પણ આવકવેરા વિભારે સર્ચ ઓપરેશન કર્યું હતું. બુધવારે સોનુ સૂદની 6 જગ્યાઓ પર પણ તલાશી લેવામાં આવી હતી.
હોસ્પિટલ બનાવવાનું સપનું
સોનુએ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તેનું હોસ્પિટલ બનાવવાનું સપનું છે જ્યાં લોકોનો ફ્રીમાં ઇલાજ થાય. હું રહું કે ના રહું આ કામ હંમેશા ચાલતું રહેવું જોઇએ.