સોનુએ ટ્વિટ કરીને લોકોને ફરી એકવાર જગાડવાનો પ્રયત્ન કર્યો છે. સોનુએ ટ્વિટમાં લખ્યું કે, 15 ઓગસ્ટે દેશભક્તિ બતાવવાવાળા લોકો માટે એક સંદેશ, દેશ માટે કંઇ કરવા અને દેશભક્તિ બતાવવાનો આનાથી સારો સમય કોઇ નહી આવે. તેની સાથે ધ્વજ અને હાથ જોડેલા ઇમોજી પણ મૂક્યા છે. સોનુ આ પોસ્ટથી કહેવા માંગે છે કે માત્ર એક દિવસ દેશભક્તિ બતાવવાથી કામ નહી ચાલે. આ સમયે દેશ મોટા સંકટમાંથી બહાર આવવા તરફડીયા મારે છે ત્યારે સંભવ થતી મદદ કરવી જોઇએ.
કોરોનાકાળમાં ફરી તે લોકોની મદદ કરવા માટે લાગી ગયા છે જ્યારે તે પોતે પણ કોરોના વાયરસથી લડી રહ્યાં છે. હાલમાં જ સોનુ પાસે એવી મુશ્કેલી આવી કે કોરોના પેશન્ટને બેડ નથી મળી રહ્યાં ત્યારે 15 મિનીટમાં બેડ અપાવવાની વાત કરી હતી.
ટીવીના કોઇ પોપ્યુલર શોઝના ડાયરેક્ટર અરુણ શેષકુમારે ટ્વિટ કરતા લખ્યું કે, સોનુ ભાઇ, ઉમેશજી અમારા એક સિનીયર કેમેરામેન છે તેમના પરિવારને મદદની જરૂર છે. તેમના માટે કંઇક કરો, તે ખુબ ક્રિટીકલ છે પ્લીઝ હેલ્પ કરો. આ ટ્વિટનો રિપ્લાય કરતા સોનુએ લખ્યુ કે તેમને 15 મિનીટમાં આઇસીયુમાં બેડ મળી જશે, તૈયાર રહો તેમને બચાવીશું.
અરુણે આ ટ્વિટનો રિપ્લાય કરતા લખ્યુ કે, સોનુ સુદ ભાઇ, તેમની ફેમેલીને બેડ આપવાનુ કન્ફર્મેશન મળી ગયુ છે. તમે રોકસ્ટાર છો, તમારો ખુબ ખુબ આભાર. ગોડ બ્લેસ યુ.
અરુણ શેષકુમારે પીયુષ શીવહરેની ટ્વિટ પર સોનુ સુદ પાસે મદદ માંગી હતી. પીયુષે લખ્યુ હતુ કે મારા અંકલ ઉમેશ કોરોના પોઝીટીવ છે અને તે ક્રિટીકલ છે અને તે મુંબઇની હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યો. તેમને તરત જ ઇલાજની જરૂર છે. કોઇ બેડ અપાવવામાં તેમની મદદ કરો,
સોનૂ સુદનુ બનાવાયુ છે મંદિર
તેલંગણાના સિદ્દીપેટ જિલ્લાના એક ગામમાં લોકોએ અધિકારીઓની મદદથી સોનૂ સૂદના સન્માનમાં આ મંદિર બનાવ્યું છે. આ મંદિરમાં સોનૂ સૂદની એક મૂર્તિ પણ મુકવામાં આવી છે. મંદિરને 20 ડિસેમ્બરના રોજ ખોલવામાં આવ્યું છે. પૂજા દરમિયાન મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવી હતી.
જિલ્લા પરિષદ મેમ્બર ગિરી કોંડલ રેડ્ડીએ કહ્યું કે સોનૂ સૂદે કોરોના વખતે લોકોની ભરપૂર મદદ કરી હતી અને માટે જ તેમનું સ્થાન ભગવાન જેવું છે. જેના કારણે સોનૂ સૂદનું મંદિર બનાવી દેવામાં આવ્યું છે. રેડ્ડીએ કહ્યું કે સોનુ સૂદ તેમના માટે ભગવાન જેવા છે.
સોનૂએ બનાવી જગ્યા
સોનૂ સૂદની મૂર્તિ બનાવનાર વ્યક્તિ મધુસુદન પાલે કહ્યું કે સોનૂએ જે રીતે લોકોની મદદ કરી છે જોઇને દરેકના દિલમાં તેમની એક અલગ જગ્યા બની ગઇ છે. તેમણે તો માત્ર એક નાની મૂર્તિ બનાવી છે જે સોનૂ સૂદ માટે ભેટ છે.
મહત્વનું છે કે સોશ્યલ મિડીયા પર લોકોએ સોનૂ સૂદને ભારતરત્ન મળે તેવી માગ કરી છે.