કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લૉકડાઉન કરવાની ફરજ પડી હતી, જેથી કેટલાક શ્રમિકો બીજા રાજ્યોમાં ફસાઇ ગયા હતા જેમની મદદે સોનૂ સૂદ મસિહા બનીને આવ્યો હતો. સોનૂ સૂદે મુંબઇમાં ફસાયેલા દરેક વ્યક્તિને તેમના વતન પહોંચાડવામાં મદદ કરી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે કામ કોઇએ નથી કર્યુ તે કામ સોનૂએ એકલા હાથે કર્યું છે. હાલમાં જ સોનૂને સોશ્યલ મિડીયા પર મળેલ એક મેસેજ બાદ પટનામાં એક પરિવારને ઘર અપાવવાનો નિર્ણય કર્યો છે.
એક યુઝરે લખ્યું હતું કે, સોનૂજી આ મહિલાના પતિનું અવસાન થઇ ચૂક્યુ છે અને તેના મકાન માલિકે બાળકો સાથે ઘરની બહાર કાઢી મૂકી છે. તેમના માથે છત નથી અને બાળકો પણ ભૂખે મરી રહ્યા છે. તેના જવાબમાં સોનૂએ લખ્યું કે આવતીકાલે આ પરિવાર પાસે ઘર હશે. સોનૂની આ ટ્વિટની લોકો ભરપૂર પ્રશંસા કરી રહ્યાં છે.
कल इस परिवार के सिर पर छत होगी। इन छोटे बच्चों के लिए एक घर ज़रूर होगा ❣️🤞 https://t.co/QA2m5sPJwm
પ્રવાસીઓને તેમના ઘરે સકુશળ પહોંચાડવામાં સોનૂએ જે મદદ કરી છે તે કદાચ કોઇ ન કરી શક્યું હોત, ત્યારે ઓડિસામાં એક વ્યક્તિએ પોતાની દુકાનનું નામ સોનૂ સૂદ વેલ્ડિંગ વર્કશોપ રાખ્યું છે. જેની તસવીર પણ સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહી છે.
સોનૂ સૂદ તેમના આ અનુભવ માટે એક પુસ્તક લખવાનું વિચારી રહ્યાં છે. સોનૂ સૂદે થોડા સમય પહેલા જ આ પુસ્તકને લઇને ઘોષણા કરી છે. જો કે આ પુસ્તકનું નામ હજૂ સુધી ફાઇનલ નથી થયુ પરંતુ પુસ્તક ખૂબ જલ્દી બહાર આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. લોકોની આટલી મદદ કરવા માટે સોનૂ સૂદને ભારત રત્ન આપવાની માગ ઉઠી રહી છે. હવે સરકાર સોનૂ સૂદને ક્યા સન્માનથી નવાજે છે તે જોવું રહ્યું.