દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે બોલીવૂડ અભિનેતા સોનુ સુદ સાથે મુલાકાત કરી અને તેને મેન્ટોર કાર્યક્રમનો બ્રાન્ડ એેમ્બેસેડર બનાવવાની ઘોષણા કરી હતી.
આમ આદમી પાર્ટી સાથે સોનુની મુલાકાત
પોલીટીક્સ જોઇન કરશે સોનુ સૂદ?
અભિનેતાએ આપ્યો જોરદાર જવાબ
પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
પ્રેસ કોન્ફરન્સ દરમિયામ મુખ્યમંત્રી કેજરીવાલને પૂછવામાં આવ્યું કે શું સોનુ સુદ સાથે રાજનૈતિક ચર્ચા થઇ હતી. તેના પર મુખ્યમંત્રીએ જવાબ આપ્યો કે, ના-ના અમારા વચ્ચે કોઇ રાજનૈતિક ચર્ચા નથી થઇ.
સોનુએ આપ્યો જોરદાર જવાબ
જ્યારે સોનુ સુદને પોલિટીક્સ જોઇન કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, કશું જ રાજનૈતિક નથી. મને લાંબા સમયથી પોલિટિક્સમાં જોડાવાની તક મળતી આવી છે પરંતુ મને રસ નથી. મારો એવો કોઇ ઇરાદો નથી. જેના વિચાર સારા છે તેને દિશા જરૂર મળે છે.
દેશના મેન્ટોર કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર સોનુ સુદ
મુખ્યમંત્રી કેજરીવાલે જાણકારી આપતાં જણાવ્યું કે, સોનુ સુદ દેશના મેન્ટોર કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર છે. આ કાર્યક્રમ હેઠળ બાળકોને ભવિષ્ય માટે ગાઇડ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ કાર્યક્રમને સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવશે. જ્યારે પણ સ્કુલ અને શિક્ષાની વાત આવે છે ત્યારે દિલ્હીનું નામ પહેલા આવે છે.
Delhi | Actor Sonu Sood meets Delhi Chief Minister Arvind Kejriwal in the national capital pic.twitter.com/FgSIzrWTpN
મુલાકાત પહેલા દિલ્હીનુ રાજકારણ ગરમાયું
લોકોને મદદ અને કોરોના સમયે કરેલી કામગીરીથી ચર્ચામાં રહેલા સોનુ સુદ જ્યારે દિલ્હીના મુખ્યમંત્રીને મળ્યા તે પહેલા જ રાજકારણ ગરમાયું હતું. લોકો અલગ અલગ પ્રકારની અટકળો લગાવી રહ્યાં છે કે શું સોનુ સુદ AAPમાં જોડાશે?