કડકડતી ઠંડીમાં ઈંદોરથી થઈ રહી છે અમાનવીય તસવીરો વાયરલ, ભારતભરમાં આ કૃત્યની નિંદા કરવામાં આવી રહી છે. જાણો આ ઘટના પર સોનુ સૂદે શું પ્રતિક્રિયા આપી.
ઈંદોરનાં નગર નિગમ દ્વારા વૃદ્ધો પર જુલમ ગુજાર્યો
ટ્રકમાં બેસાડી વૃદ્ધોને હાઈવે પર છોડી દેવાયા
બીજેપી નેતાએ પણ કૃત્યની નિંદા કરી
નિંદનીય કામનો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ઈંદોર નગમ નિગમની એક ગાડી બેઘર વૃદ્ધોને શહેરની બહાર દેવાસ હાઈવે પર તેમના સામાન સહિત છોડી રહી છે. નિગમ કર્મીઓ તેમને ટ્રકથી ઉતારી રહ્યાં છે તે દરમિયાન સ્થાનિય લોકોએ નિગમ કર્મીઓ દ્વારા કરવામાં આવેલ આ કૃત્યનો ઘોર વિરોધ કર્યો અને વૃ્દ્ધોને આમ લાવારિસ જાનવરની જેમ ખુલ્લા છોડી દેવાનું કારણ પૂછ્યું તો નિગમ કર્મીઓએ કોઈ જવાબ આપ્યો નહી. ત્યારબાદ તેમણે એક પછી એક બધા વૃદ્ધોને પાછા ટ્રકમાં બેસાડી દીધા હતા. જે ટ્રકમાં તેમને શહેરની બહાર લાવવામાં આવ્યા હતા ત્યાંથી તેમનાં પરત મોકલી આપવામાં આવ્યા. ઈંદોર નગર નિગમનાં આ નિંદનીય કામનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોનુ સુદે ટ્વીટ કરી છત આપવાની અપીલ કરી
ઈંદોર નગર નિગમનાં આ કૃત્ય પર બોલિવૂડ એક્ટર કે જે કોરોનાકાળમાં ગરીબો માટે એક મસિહા બનીને ઉભરી આવ્યો હતો, તેણે ટ્વીટ કરીને કહ્યું કે, હું લોકોને અપીલ કરું છુ કે આપ સૌ મળીને આ બધાને એક છત આપવાનો પ્રયાસ કરો.
માનવીય સંબંધોમાં પણ પ્રથમ ક્રમે
બીજી તરફ ભાજપનાં રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ પણ ટ્વીટ કરીને કહ્યું કે ઈંદોર સ્વચ્છતામાં તો અત્યાર પ્રથમ આવ્યું છે. પણ માનવીય સંબંધોમાં તે પહેલાથી પ્રથમ ક્રમે છે માટે તેની આ ઓળખને નષ્ટ ના કરો. હું મનથી દુખી છું.