લૉકડાઉનમાં શહેરોમાં ફસાયેલા મજૂરોની મદદ કરી રહેલા સોનુ સૂદની દરેક જગ્યાએ પ્રસંશા થઇ રહી છે. તેમના આ સેવા કાર્યને સેલેબ્સ તેમજ નેતાઓની વાહવાહી સાંપડી રહી છે. શિવસેનાના અખબાર સામનામાં સંજય રાઉતે જે રીતે સોનૂ સૂદની આલોચના કરી છે, તેનાથી હડકંપ મચી ગયો હતો. સંજય રાઉતે કહ્યું કે, સોનૂ સૂદ આ મદદથી રાજકરણમાં પ્રવેશ કરશે.
સોનૂની કરી આલોચના
સોનૂ સૂદનો જડબાતોડ જવાબ
માતોશ્રીમાં થઇ મુલાકાત
સંજય રાઉતના આ નિવેદન પર સોનૂ સૂદે રિએક્ટ કર્યુ છે. સોનૂ સૂદે કહ્યું કે, હું કોઇના માટે કંઇ નથી કરી રહ્યો બસ હું પ્રવાસીઓની મદદ કરવા માગતો હતો. સંજય રાઉત સારા વ્યક્તિ છે હું તેમની ઇજ્જત કરુ છું. ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે સાથેની મિટીંગ સારી રહી હતી અને મારો રાજનીતિમાં આવવાનો કોઇ જ ઇરાદો નથી. હું એક એક્ટર તરીકે મારા કામને એન્જોય કરી રહ્યો છુ અને મારી પાસે ઘણુ કામ છે.
સંજય રાઉતે સોનૂ સૂદ પર નિશાનો સાધતા કહ્યું હતું કે, તે BJPના કહેવા પર મજૂરોને ઘરે મોકલવાનુ કામ કરી રહ્યો છે. આ તેમનો પોલિટીકલ મૂવ છે. ભારતીય જનતા પાર્ટીના ઇશારા પર તે આ કામ કરી રહ્યા છે. સોનૂના અચાનક મહાત્મા બનવા પર પણ સવાલ ઉઠાવ્યા હતા, તેમણે કહ્યું હતુ કે સોનૂ જલ્દી જ મોદીને મળશે અને બંને લોકો યુપી અને બિહારમાં ભાજપ માટે પ્રચાર કરશે. સામનામાં સંજયે સોનૂને ભાજપની કઠપૂતળી ગણાવ્યો હતો.
સંજય રાઉતના આ નિવેદન બાદ તેમની ઘણી આલોચના થઇ હતી. બાદમાં સોનૂ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવને મળવા માતોશ્રી ગયા હતા. સોનૂની ઉદ્ધવ સાથેની તસવીરો બહાર આવી હતી.