લૉકડાઉન દરમિયાન હજારો પ્રવાસીઓને ઘરે પહોંચાડનાર સોનૂ સૂદ લૉકડાઉન બાદ પણ અલગ અલગ રીતે લોકોની મદદ કરતા રહ્યાં હતા. હવે તેમણે જાહેરાત કરી છે કે તેગરીબ બાળકોની ભણવામાં સહાય કરશે.
ગરીબ બાળકોને મળશે સ્કૉલરશીપ
સોનૂ સૂદ આવ્યા ગરીબોની મદદે
ફરીએકવાર સોનૂ કરશે લોકોની મદદ
સોનૂ સૂદે તેમની માતા સરોજ સૂદના નામ પર એક સ્કોલરશિપ શરૂ કરી છે, જે ગરીબ બાળકોના ભણતર માટે હશે. એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે, કેટલાક બાળકોને ભણવા માટે કેટલુ સ્ટ્રગલ કરવુ પડી રહ્યું છે. ઘણા લોકો પાસે ઓનલાઇન ભણવા માટે મોબાઇલ નથી તો કેટલાક પાસે લાઇટ નથી. માટે સોનૂએ તેમની પ્રોફેસર માતાના નામ પર સ્કોલરશીપ શરૂ કરવાનુ નક્કી કર્યું. દેશભરની યુનિવર્સિટી સાથે ટાઇ-અપ કર્યુ અને બાદમાં ઘોષણા કરી.
ज़रूरतमंद की ज़रूरत और उसके भीतर का फाँसला सिर्फ़ आपके हाथ बढ़ाने तक का है।
किसका इन्तज़ार कर रहें हैं ?
મફત ભણાવતા હતા સરોજજી
સોનૂએ વધુમાં જણાવ્યું કે, તેમની માતા પંજાબમાં મફત શિક્ષણ આપતા હતા. હંમેશા તે સોનૂને કહેતા હતા કે તે સરોજજીના આ કામને આગળ લઇને જાય, ત્યારે સોનૂને લાગ્યુ કે આ જ સમય છે તેમની માતાનુ નામ રોશન કરે.
કોને મળશે સ્કોલરશીપ
સોનૂ કહે છે કે, આ સ્કોલરશીપ મેડિસીન, એન્જીનીયરિંગ, આર્ટિફીશ્યલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, ડેટા સાઇન્સ, ફેશન અને બિઝનેસ સ્ટડી માટે મળશે.
કેવી રીતે મળશે સ્કોલરશીપ
સોનૂએ જણાવ્યુ કે, એવા પરિવારોમાંથી આવનારા સ્ટુડન્ટ કે જેમની ઇન્કમ વાર્ષિક 2 લાખથી ઓછી છે, તે આ સ્કોલરશીપ માટે ફોર્મ ભરી શકે છે. શરત માત્ર એટલી છે કે તે ભણવામાં સારા હોવા જોઇએ. બાદમાં સોનૂ તેમની હોસ્ટેલ ફીઝથી લઇને જમવાનુ દરેક જવાબદારી તે ઉઠાવશે.