આર. જે ધ્વનિતે કરેલા નિવેદનને કારણે કોંગ્રેસમાં રોષ ભભૂક્યો હતો. જેને લઈને સોશિયલ મીડિયામાં કોંગ્રેસે ધ્વનિતનો ઉઘડો લીધો હતો. એ સાથે જ NSUIનાં કાર્યકર્તાઓએ ધ્વનિતની ઓફિસમાં જઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મામલે ધ્વનિતે માંફી માગતા વિવાદ થાળે પડ્યો હતો.
ધ્વનિતની ટિપ્પણીને પગલે NSUIનાં કાર્યકરોએ RJધ્વનિત સામે વિરોધ પ્રદર્શન કરવાં વેજલપુર સ્થિત રેડિયો મિર્ચીની ઓફિસમાં પહોંચ્યાં હતા. તેઓએ ધ્વનિતનાં નિવેદન મામલે વિરોધ કર્યો હતો. તેમજ તેણે ધ્વનિતે આપેલા વિવાદાસ્પદ નિવેદન મામલે માફી માંગવા અપીલ કરી હતી.
ધ્વનિતે ઓન એર માફી માંગી
વેજલપુર સ્થિત રેડિયો મિર્ચીની ઓફિસમાં NSUIના કાર્યકરોએ RJધ્વનિત સામે વિરોધ પ્રદર્શન કરતાં ધ્વનિતને ભુલ સમજાઈ હતી. એ બાદ ધ્વનિતે માંફી માંગી છે. ધ્વનિતે 11 વાગે રેડિયો પર ઓન એક માફી માંગતા કહ્યું હતું કે મે જે ટિપ્પણી કરી છે તેનાથી કોઈને દુઃખ પહોંચ્યુ હોય તો હું દુઃખ વ્યક્ત કર્યું છું. આ સાથે તેમણે ઈન્દિરા ગાંધી નારી શક્તિનું પ્રતિક ગણાવ્યાં હતાં. ધ્વનિતની માફીને પગલે NSUIએ સંતોષ માન્યો હતો.
શું હતો મામલો
ધ્વનિતે ઈન્દિરા ગાંધીની જન્મ જયંતિ પર કમેન્ટ કરી હતી કે તેઓ ગાંધીજી સાથે રહ્યાં છતાં માંસાહાર છોડી શક્યાં નહોતાં. જેને કારણે કોંગ્રેસમાં ભારે રોષ વ્યાપી ગયો છે. કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે સોશિયલ મીડિયા પર ધ્વનિતનો ઉધડો લીધો હતો. તેમણે ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરૂ પર કરેલી ધ્વનિતની વાત અયોગ્ય ગણાવી હતી.