કોરોના સંકટ અને ચીન વચ્ચેના તણાવ વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજ્યોમાં ઓબીસીના અનામતને લઇને શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મેડિકલ માટે નીટની પરીક્ષા દ્વારા ભરવામાં આવતી બેઠકોમાં ઓબીસી વિદ્યાર્થીઓને અનામત આપવાના ઇન્કાર કરવા તરફ પીએમ મોદીનું ધ્યાન દોર્યું છે.
સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું છે કે કેન્દ્ર અને બધા રાજ્યોની તબીબી શૈક્ષણિક સંસ્થાઓમાં અખિલ ભારતીય કોટા હેઠળ 15 ટકા અનુસૂચિત જાતિ, 7.5 ટકા અનુસૂચિત જનજાતિ અને 10 ટકા બેઠક આર્થિક રીતે કમજોર લોકો (EWS) માટે અનામત છે. જો કે ઓબીસી વિદ્યાર્થીઓ માટે અખિલ ભારતીય કોટાની વ્યવસ્થા કેન્દ્રીય સંસ્થાઓમાં પ્રતિબિંધિત છે.
સોનિયા ગાંધીએ લખ્યું છે કે રાજ્યોમાં કેન્દ્રના આદેશનું પાલન થઇ રહ્યું નથી. ઓલ ઇંડિયા ફેડરેશન ઑફ અધર બેકવર્ડ ક્લાસેઝ તરફથી 2017થી એકઠા કરવામાં આવેલા આંકડાઓ મુજબ ઓબીસી વિદ્યાર્થીઓને અખિલ ભારતીય કોટા હેઠળ 11 હજારથી વધારે બેઠકો પર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના મેડિકલ સંસ્થાઓમાં અનામત આપવામાં આવ્યું નથી. ઓબીસી વિદ્યાર્થીઓને રાજ્યના તબીબી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત ન આપવું કેન્દ્ર સરકારના આદેશ અને 93માં કાયદાકીય સંશોધનનું ઉલ્લંઘન છે.
આવુ કરવું ઓબીસી વિદ્યાર્થીઓને તબીબી ભણતર રોકવા જેવું છે. સોનિયા ગાંધીએ સાથે જ કેન્દ્ર સરકારને સમાનત અને સામાજિક ન્યાયને ધ્યાનમાં લઇને ઓબીસી વિદ્યાર્થીઓ માટે રાજ્યોના મેડિકલ શિક્ષણ સંસ્થા અને ડેંટલ કોલેજોમાં અનામત વધારવા અનુરોધ કર્યો છે.