કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત અનેક કોંગ્રસના મુખ્ય નેતાઓએ કોરોનાની રસી લીધી પરંતુ કોઈએ પ્રચાર પ્રસાર નથી કર્યો.
સોનિયા ગાંધીએ લીધો રસીનો ડોઝ
કોંગ્રેસના અનેક નેતા લઈ ચૂક્યા છે રસી
કોંગ્રેસી નેતાઓએ રસી લેતા કોઈ ફોટા સોશિયલ મીડિયા પર ન મુક્યા
કોરોના વાયરસના સંકટની વચ્ચે દેશમાં રસીકરણ ચાલુ છે. કોરોના રસીકરણના બીજા ચરણ બાદ અનેક રાજનીતિક હસ્તિઓએ રસીના ડોઝ લીધા હતા. પીએમ મોદી સહિત અનેક મંત્રીઓએ અનેક નેતાઓએ રસી લીધા બાદ સોશિયલ મીડિયા પર ફોટા શેર કર્યા હતા. પણ કેટલાક નેતા એવા પણ છે જેમણે કોઈ પ્રચાર પ્રસાર કે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ કર્યા વગર ડોઝ લીધો છે.
સોનિયા ગાંધીએ લીધો રસીનો ડોઝ
એક મીડિયા રિપોર્ટ મુજબ કોંગ્રેસના અને મુખ્ય નેતાઓએ કોરોનાની રસી લીધી પરંતુ કોઈએ પ્રચાર પ્રસાર નથી કર્યો કે ન સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીનું કહેવું છે કે તેમણે આ મહિનામાં કોરોનાની રસીનો ડોઝ લીધો અને તે પોતાની પાર્ટીના નેતાઓને રસી લેવાનું કહી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના નેતા તથા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કોરોના રસી લગાવી છે.
અનેક નેતા લઈ ચૂક્યા છે રસી
ઉલ્લેખનીય છે કે એક માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં જઈ રસીનો ડોઝ લીધો હતો. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર રસી લગાવતો ફોટો મુક્યો હતો. તેમને કેરળ અને પોન્ડિચેરીની નર્સે રસી લગાવી હતી. રસી લગાવ્યા બાદ પીએમએ લોકોને રસી પર ભરોસો કરી ડોઝ લેવા અપીલ કરી હતી. પીએમ મોદી ઉપરાંત કેબિનેટના અનેક નેતા જેમ કે ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર, સ્વાસ્થ મંત્રી ડો. હર્ષવર્ધન સહિતે રસી લીધી હતી. તેમજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમની પત્નીએ પણ કોરોના રસી લીધી છે.