કોરોનાની બીજી લહેરમાં હવે વિપક્ષ પણ PM મોદીને આવકાર્ય પગલાં લેવા માટે સલાહ સૂચન આપે છે તેમાં વધુ એક સૂચન સોનિયા ગાંધીએ PM મોદીને કર્યું છે.
બ્લેક ફંગસના વધતાં કેસ મુદ્દે લખ્યો પત્ર
જુલાઈથી દર મહિને મ્યુકરમાયકોસિસ માટે વપરાતી દવાની 1,11,000 શીશી
મહામારીમાં માતાપિતા ગુમાવનાર બાળકો માટે પણ લખ્યો હતો પત્ર
બ્લેક ફંગસના વધતાં કેસ મુદ્દે લખ્યો પત્ર
કોરોના સંક્રમણ બાદ હવે મ્યુકરમાયકોસિસના કેસ દેશમાં ઝડપથી વધી રહ્યા છે. દેશના 7 રાજ્યોએ આ બીમારીને મહામારી જાહેર કરી છે. આ સ્થિતિની સમીક્ષા કરતાં સોનિયા ગાંધીએ બ્લેક ફંગસના વધતાં કેસ મુદ્દે અને દવાની અછત સર્જાવાના મુદ્દે ચિંતા વ્યકત કરતો પત્ર PM મોદીને લખ્યો છે અને તેમણે આગ્રહ કર્યો છે કે આ બધા જ દર્દીઓને આર્થિક મદદ કરવા માટેના યોગ્ય પગલાં લેવામાં આવે. તેમણે કહ્યું છે કે આયુષ્માન ભારત યોજના અંતર્ગત બ્લેક ફંગસના દર્દીઓને આર્થિક મદદ કરવામાં આવે.
જુલાઈથી દર મહિને મ્યુકરમાયકોસિસ માટે વપરાતી દવાની 1,11,000 શીશી
તેમણે આ પત્રમાં લખ્યું છે કે કેન્દ્ર પણ આ બીમારીને મહામારી ઘોષિત કરે. સાથે જ લખ્યું "મહામારીની ઘોષણા કરવી એટલે તેનો મતલબ એ જ છે કે આ બીમારીના ઈલાજ માટે જરૂરી દવાઓનું ઉત્પાદન વધારવું અને તેની અછતને પહોંચી વળવું, સાથે જ તેવા દર્દીઓની સારવાર મફતમાં થાય. મ્યુકરમાયકોસિસથી પીડાતા દરેક દર્દીને આર્થિક સહાય આપવા માટેના જરૂરી પગલાં લેવામાં આવે" બીજી બાજુ શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે બ્લેક ફંગસના કારણે થતાં મ્યુકરમાયકોસિસ રોગની સારવાર માટે ઉપયોગમાં આવતી દવાના ઉત્પાદન માટે બીજી પાંચ કંપનીઓને લાયસન્સ આપી દીધું છે અને આ કંપનીઓ જુલાઈથી દર મહિને આ દવાની 1,11,000 શીશી તૈયાર કરશે.
મહામારીમાં માતાપિતા ગુમાવનાર બાળકો માટે પણ લખ્યો હતો પત્ર
સોનિયા ગાંધીએ આ પહેલા પણ PM મોદીને પત્ર લખતા જણાવ્યું છે કે કોરોનાકાળમાં જે બાળકોએ પોતાના માતાપિતા ગુમાવ્યા છે કે કમાણી કરનાર સ્વજન ગુમાવ્યા છે તે દરેક બાળકને નવોદય વિદ્યાલયમાં મફતમાં શિક્ષણ આપવમાં આવે. તેમણે પત્રમાં લખ્યું છે કે "તમે જાણો છો કે કોરોનાની બીજી લહેરે ઘણા લોકોના પરિવારોને વેરવિખેર કરી નાખ્યું છે. મહામારીના લીધે થઈ તબાહી અને તેના દ્વારા પરિવાર પર આવી પડી મુશ્કેલી સહન કરી શકાય તેમ નથી, તેથી સંક્રમણમાં પોતાના માતાપિતા ગુમાવનાર બાળકોની સ્થિતિ ઘણી માર્મિક છે. તેમના શિક્ષણ અને ભવિષ્યની ચિંતા કરવા વાળું કોઈ જ નથી.