મોદી સરકાર દ્વારા આજે કૃષિ કાયદાઓ રદ કરવામાં આવ્યા. ત્યારે સોનિયા ગાંધીએ આ મામલે સરકાર પર પ્રહાર કરતા નિવેદન આપ્યું કે તાનાશાહ સાસકોનો ઘમંડ આજે તૂટ્યો
સોનિયા ગાંધીએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર
કૃષિ કાયદાને લઈને સરકાર પર કર્યા પ્રહાર
કહ્યું તાનાશાહ શાસકોનો ઘમંડ તૂટ્યો
છેલ્લા એક વર્ષથી ખેડૂતો કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે તેમની મહેનત હવે રંગ લાવી કારણકે આજે PM મોદી દ્વારા ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
અન્નદાતાઓની જીત થઈ : સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ આ સમગ્ર મામલે કહ્યું કે અન્નદાતાઓની જીત થઈ અને સરકારના ઘમંડની આખરે હાર થઈ છે. આ નિર્ણય પર રાજી થતા સોનિયા ગાંધીએ કહ્યું કે છેલ્લા 12 મહીનાથી ખેડૂતો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા હતા. જેથી દેશના બધાજ ખેડૂતો તેમજ ખેતી સાથે સંકળાયેલા લોકોની આજે જીત થઈ છે.
તાનાશાહ શાસકોનો અહંકાર તૂટ્યો : સોનિયા ગાંધી
વધુમાં સોનિયા ગાંધીએ કહ્યું કે આજે 700 કરતા પણ વધારે પરિવારોની કુરબાની રંગ લાવી છે. જેમણે ન્યાય મેળવાવ પોતાનો જીવ આપી દીધો હતો. સાથેજ કહ્યું કે આજે સત્ય, ન્યાય અને અહિંસાનો વિજય થયો છે. એટલુંજ નહી મોદી સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સત્તામાં બેસેલા તાનાશાહ શાસકોનો અહંકાર પણ આજે હાર્યો છે.
ખેડૂતોને અપાતું બોનસ સરકારે બંધ કરી દીધું: સોનિયા ગાંધી
ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીએ એનડીએ સરકારને ખેડૂત વિરોધી ગણાવી સાથેજ કહ્યું કે છેલ્લા સાત વર્ષોમાં ભાજપ સરકારે સતત ખેતી પર અલગ અલગ રીતે પ્રહાર કર્યા છે. જેમા તેમણે કહ્યું કે સરકાર બન્યા બાદ તેમણે ખેડૂતોને જે બોનસ મળતું હતું તે પણ બંધ કરી દીધું છે. સાતેજ તેમણે કહ્યું કે સરકારે હંમેશા ખેડૂતોની વિરુદ્ધમાં જઈનેજ કામ કર્યું છે.