કોરોના વાયરસ સંકટની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ પીએમ મોદીને પત્ર લખીને કેટલાક સૂચન કર્યા છે. સોનિયા ગાંધીએ પીએમ મોદીને આગ્રહ કર્યો છે કે કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખતા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા તમામ લાભાર્થીને સપ્ટેમ્બર મહીના સુથી પ્રતિ વ્યક્તિ 10 કિલોગ્રામ અનાજ (માસિક) ઉપલબ્ધ કરાવવામાં આવે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને કેટલાક સૂચન કર્યા
આ મુશ્કેલ સમયમાં એ લોકોને પણ રાહત આપવામાં આવે જેમની પાસે રાશન કાર્ડ નથી: સોનિયા ગાંધી
સોનિયા ગાંધી કહ્યું કે આ મુશ્કેલ સમયમાં એ લોકોને પણ રાહત આપવામાં આવે જેમની પાસે રાશન કાર્ડ નથી. પીએમ મોદીને લખવામાં આવેલા પત્રમાં સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું કે કોરોના વાયરસની વિરુદ્ધ યુદ્ધના આ સમયમાં સરકારે એ સુનિશ્ચિત કરવું પડશે કે કોઇપણ નાગરિક સમક્ષ ભૂખમરાનું સંકટ પેદા ન થાય. તેઓએ કહ્યું કે લૉકડાઉનને કારણે દેશમાં લાખો ગરીબ લોકો ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. આ ખુબ જ દુખદ છે કેમકે દેશની પાસે વિશાળ અન્ન ભંડાર છે.
સરકારે એપ્રિલ સુધી અનાજ આપવાનો કર્યો હતો નિર્ણય
કોંગ્રેસ અધ્યક્ષે સૂચન કર્યા, ખાદ્ય સુરક્ષા કાયદાના લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ 10 કિલોગ્રામ અનાજ (દર મહીને) ની સુવિધા 3 મહીના માટે વધુ (સપ્ટેમ્બર સુધી) વધારી દેવી જોઇએ. તેઓએ કહ્યું કે વર્તમાન સ્થિતિને જોતા લોકોને અનાજ ફ્રીમાં ઉપલબ્ધ કરાવવું જોઇએ. સરકારે પહેલાથી જ એપ્રિલથી જૂન સુધી પ્રતિ વ્યક્તિ 10 કિલોગ્રામ અનાજ આપવાનો નિર્ણય લીધો છે.
10 કિલોગ્રામ રાશન મળવુ જોઇએ
સોનિયા ગાંધીએ પીએમ મોદીને આગ્રહ કર્યો કે એ લોકોને પણ 10 કિલોગ્રામ રાશન મળવું જોઇએ જેમની પાસે રાશન કાર્ડ નથી, પરંતુ તેઓ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે ભંડારોમાં પડેલા અનાજ રાજ્યોને ઉપલબ્ધ કરાવાથી ભારતીય ખાદ્ય નિગમને રવીની ઉપજને ખરીદવામાં સરળતા રહેશે કેમકે તેનાથી તેના ભંડારોમાં જગ્યા બની જશે.