દેશના વિભિન્ન ભાગોમાં મહિલાઓ સાથે બળાત્કારની વધી રહેલી ઘટનાઓ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ કહ્યું કે તેઓ સોમવારે પોતાનો જન્મદિવસ નહીં ઉજવે. કેમકે તેઓ આ પ્રકારની ઘટનાઓથી દુ:ખી છે. સોમવારે સોનિયા ગાંધી 73 વર્ષના થઇ જશે.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે તેઓ સોમવારે પોતાનો જન્મદિવસ નહીં ઉજવે
સૂત્રોએ પીટીઆઇ-ભાષાને જણાવ્યું કે દેશના વિભિન્ન ભાગોમાં બળાત્કારની અલગ-અલગ ઘટનાઓથી કોંગ્રેસ અધ્યક્ષ દુ:ખી છે અને આ કારણે તેઓ સોમવારે પોતાનો જન્મદિવસ ઉજવશે નહીં.
સોનિયા ગાંધીનો આ નિર્ણય ઉન્નાવ બળાત્કાર પીડિતાને સળગાવવા અને દિલ્હીની હોસ્પિટલમાં તેના મોત થયા બાદ આવ્યો છે. આ પહેલા હાલમાં જ હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કરાયા બાદ સળગાવીને તેની હત્યા કરી દેવામાં આવી હતી.
નોંધનીય છે કે, ઉન્નાવ બળાત્કાર પીડિતાના આજે રવિવારે અંતિમ સંસ્કાર કરી દેવાયા છે. તેના પાર્થિવ દેહના અગ્નિ સંસ્કાર કરાયા નથી પરંતુ દફનાવાયો છે. બીજી તરફ પીડિતાની બહેને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરવા પર મુખ્યમંત્રી આવાસની સામે આત્મવિલોપન કરવાની ચેતવણી આપી છે.