સોનિયા ગાંધી વિદેશ પ્રવાસ પરથી ક્યારે પરત ફરશે તે અંગે પાર્ટી દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી
કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' પહેલા મોટા સમાચાર
મેડિકલ ચેક-અપ માટે બ્રિટન જશે સોનિયા ગાંધી
રાહુલ-પ્રિયંકા પણ સાથે જશે, રાહુલ ગાંધી 4 સપ્ટેમ્બર પહેલા પરત ફરશે
2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર કન્યાકુમારીથી કાશ્મીર સુધી 'ભારત જોડો યાત્રા'ની જાહેરાત કરી છે, પાર્ટી દ્વારા તેના માટે પોસ્ટર પણ જારી કરવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે હવે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી બ્રિટન જઈ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સોનિયા ગાંધી આજે બપોરે બ્રિટન જવા રવાના થશે. કોંગ્રેસ દ્વારા પણ એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે, કોંગ્રેસ મહાસચિવ અને સાંસદ જયરામ રમેશે એક નિવેદન જાહેર કરીને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના વિદેશ જવાની માહિતી આપી છે. જયરામ રમેશે જણાવ્યું હતું કે, સોનિયા ગાંધી મેડિકલ ટેસ્ટ માટે વિદેશ જશે.
શું કહ્યું જયરામ રમેશે ?
કોંગ્રેસ મહાસચિવ અને સાંસદ જયરામ રમેશે જણાવ્યું હતું કે, મેડિકલ ટેસ્ટ બાદ નવી દિલ્હી પરત ફરતા પહેલા સોનિયા ગાંધી તેમની બીમાર માતાને મળવા પણ જશે. સોનિયા ગાંધી વિદેશ પ્રવાસ પરથી ક્યારે પરત ફરશે તે અંગે પાર્ટી દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.
श्री जयराम रमेश, सांसद और महासचिव (संचार), भारतीय राष्ट्रीय कांग्रेस का वक्तव्य - pic.twitter.com/3auLPQyQTP
મહત્વનું છે કે, જયરામ રમેશે જાહેર કરેલા નિવેદનમાં ચોક્કસપણે કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસે 4 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં 'મોંઘવારી પર હલ્લા બોલ રેલી'નું આયોજન કર્યું છે, આ રેલીને રાહુલ ગાંધી સંબોધિત કરશે. આનાથી સ્પષ્ટ છે કે, રાહુલ ગાંધી 4 સપ્ટેમ્બર પહેલા પોતાના વિદેશ પ્રવાસથી નવી દિલ્હી પરત ફરશે.
નોંધનીય છે કે સોનિયા ગાંધીનો આ વિદેશ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે એક તરફ ભારત જોડો યાત્રા સાથે પાર્ટી સંગઠનને પુનર્જીવિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. , તો બીજી તરફ કોંગ્રેસમાં પણ સંગઠન ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એવી અટકળો ચાલી રહી છે કે કોંગ્રેસ પાર્ટીને આવતા મહિને નવા પ્રમુખ મળી શકે છે.