સોનિયા ગાંધીને 8 જૂનને રોજ EDની સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તેઓ કોરોનાના વાયરસના સંક્રમિત થઈ ગયા હતાં.
સોનિયા ગાંધીને EDને ચિઠ્ઠી લખીને પૂછપરછ માટે વધુ સમય માંગ્યો
સોનિયા ગાંધીને 12 જૂને કોરોના વાયરસથી સંક્રમિત થયા હતાં
EDએ સોનિયા ગાંધીને નવેસરથી સમન્સ જાહેર પાઠવ્યા
સોનિયા ગાંધીને EDને ચિઠ્ઠી લખીને પૂછપરછ માટે વધુ સમય માંગ્યો
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને EDને ચિઠ્ઠી લખીને પૂછપરછ માટે વધુ સમય માંગ્યો છે. મહત્વનું છે કે, સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, કોરોનાના સંક્રમણના કારણે સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી પોતાની પૂછપરછ કેટલાક સમય સુધી સ્થગિત કરવાની માંગ કરી છે
श्रीमती सोनिया गांधी ने आज ED को पत्र लिखकर उनके पूरी तरह से ठीक होने तक अगले कुछ हफ्तों के लिए उनकी उपस्थिति को स्थगित करने का अनुरोध किया है।
સોનિયા ગાંધીને 12 જૂને કોરોના વાયરસથી સંક્રમિત થયા હતાં
કોરોના વાયરસના સંક્રમણ બાદ સ્વાસ્થ્ય સંબંધી જટિલતાઓના કારણે 75 વર્ષીય સોનિયા ગાંધીને 12 જૂને કોરોના વાયરસથી સંક્રમિત થતાં સર ગંગારામ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલા એટલે કે, 20 જૂનથી હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરવામાં આવ્યાં છે. પરંતુ હોસ્પિટલના તબીબો તેમને ઘરે પર આરામ કરવાની સલાહ આપી છે.
EDએ સોનિયા ગાંધીને નવેસરથી સમન્સ જાહેર પાઠવ્યા
ઉલ્લેખનીય છે કે, EDએ નેશનલ હેરોલ્ડ સંબંધિત કથિત મની લોન્ડ્રિંગના મામલે સોનિયા ગાંધીને નવેસરથી સમન્સ જાહેર કરી 23 જૂનના રોજ પૂછપરછ માટે બોલવામાં આવ્યા છે. ત્યારે હવે સોનિયા ગાંધીને ફરીથી ઈડીને ચિઠ્ઠી લખીને કેટલાક અઠવાડિયાનો સમય માંગ્યો હતો. સોનિયા ગાંધીએ આ પહેલા 8 જૂનને હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું.પરંતુ કોરોના વાયરસથી સંક્રમિત થવાથી તેઓ તપાસ એજન્સી સામે હાજર રહી નહીં શકે જે માટે તેમને બીજી તારીખ આપવાનું કહેવામાં આવ્યું છે
ED આ પહેલા રાહુલ ગાંધીની કરી ચૂક્યું છે પૂછપરછ
ઉલ્લેખનીય છે કે આ મામલે ED રાહુલ ગાંધી સાથે પાંચ દિવસની પૂછપરછ કરી ચૂક્યું છે. ઈડી અધિકારીઓએ કાલે, મંગળવારે રાહુલ સાથે 10 કલાકથી વધારે સમય સુધી પૂછપરછ કરી હતી. ગયા અઠવાડિયે સોમવાર, મંગળવાર અને બુધવારે સતત ત્રણ દિવસ ઇડીના અધિકારીઓએ 52 વર્ષીય રાહુલની 30 કલાકથી વધારે સમય સુધી પૂછપરછ કરી હતી, આ દરમિયાન પીએમએલએ હેઠળ તેમના નિવેદન નોંધવામાં આવ્યા હતા.