કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ જેએનયૂ (JNU) માં થયેલી હિંસાની નિંદા કરી છે. તેઓએ નરેન્દ્ર મોદી સરકાર પર હુમલો બોલ્યા અને કહ્યું કે આ આખા મામલાની સ્વતંત્ર ન્યાયિક તપાસ થવી જોઇએ. સોનિયા ગાંધીએ જેએનયૂ હિંસા મામલામાં કહ્યું કે, ભારતના યુવાઓ અને વિદ્યાર્થીઓની અવાજ રોજ દબાવામાં આવી રહી છે.
ભારતના યુવાઓ અને વિદ્યાર્થીઓની અવાજ રોજ દબાવામાં આવી રહી છે
તેઓએ કહ્યું કે, દેશના યુવાઓ પર ભયાનક અને અનપેક્ષિત રીતે હિંસા ગુજારવામાં આવી અને આમ કરનારા ગુંડાઓને સત્તારુઢ મોદી સરકાર તરફથી ઉશ્કેરવામાં આવ્યા છે. આ હિંસા નિંદનીય અને અસ્વીકાર્ય છે.
કોંગ્રેસ અધ્યક્ષએ આગળ કહ્યું કે, 'આખા ભારતમાં શૈક્ષણિક કેમ્પસોમાં અને કોલેજો પર ભાજપ સરકારથી સહયોગ મેળવનારા તત્વો અને પોલીસ રોજ હુમલા કરી રહી છે. અમે તેની નિંદા કરીએ છીએ અને સ્વતંત્ર ન્યાયિક તપાસની માંગ કરીએ છીએ. જેએનયૂમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલાઓ એ વાતનું પ્રમાણ છે કે, આ સરકાર વિરોધના દરેક સ્વરને દબાવવા માટે કોઇપણ હદ સુધી જશે. કોંગ્રેસ દેશના યુવાઓ અને વિદ્યાર્થીઓની સાથે ઉભી છે.'
નોંધનીય છે કે, દિલ્હી સ્થિત જેએનયૂમાં ગત રવિવારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે જોરદાર મારપીટ કરવામાં આવી. 50થી વધારે બુકાનીધારી હુમલાખોરોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પોતાની સાથે લોખંડની રૉડ, લાકડીઓ-ડંડા, અને ધારદાર હથિયારો લઇને કેમ્પસમાં દાખલ થયા હતા.
જેએનયૂ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ આઇશી ઘોષ (Aishe Ghosh) ના હાથ અને માથા પર હુમલો કરવામાં આવ્યો, જેથી તે લોહીલુહાણ થઇ ગઇ. હુમલામાં ઘાયલ થયેલા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એઆઇઆઇએમએસ લઇ જવામાં આવ્યા, જ્યાં સોમવારે સવારે તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા. આઇશીએ યૂનિવર્સિટીના વીસી એમ.જગદીશ કુમારને આ માટે જવાબદાર ઠેરવ્યા છે. આઇશીએ વીસીના રાજીનામાની માંગ કરી છે.