નાગરિકતા સંશોધન એક્ટના વિરૂદ્ધ દેશભરમાં થઇ રહેલા પ્રદર્શનની વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, સરકાર લોકોનો અવાજને દબાવી રહી છે. લોકતંત્રમાં જનતાનો અવાજ દબાવવો ખોટું છે. જનતાનો અવાજ સાંભળવો સરકારની જવાબદારી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે ભાજપ સરકારની નિતીઓ દેશ વિરોધી છે. કોંગ્રેસ દેશના લોકો અને બંધારણના હકમાં ઉભી છે.
નાગરિકતા સંશોધન એક્ટનો દેશભરમાં વિરોધ
સોનિયા ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર
કહ્યું ભાજપ સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે
દેશની વર્તમાન સ્થિતિને લઇને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, આ સરકારની જવાબદારી છે કે તેઓ લોકોની વાત સાંભળે. આજે જે પણ થઇ રહ્યું છે તે લોકતંત્રમાં અસ્વીકાર્ય છે.
ભાજપ સરકારે લોકોનો અવાજ દબાવ્યો
Congress Interim President Sonia Gandhi: In a democracy people have right to raise their voice against policies of govt®ister their concerns. BJP govt has shown utter disregard for people’s voices&chosen to use brute force to suppress dissent. #CitizenshipAmendmentActpic.twitter.com/ycMph7Eib4
સોનિયાએ કહ્યું કે, લોકતંત્રમાં લોકોની પાસે ખોટો નિર્ણય અને સરકારની નીતિઓ વિરૂદ્ધ બોલવાનો અધિકાર હોય છે અને પોતાની વાત રજૂ કરવાનો પણ અધિકાર હોય છે. ભાજપ સરકારે અસંતોષને દબાવવા માટે લોકોના અવાજનું અપમાન કર્યું અને ક્રૂર રીતે બળ પ્રયોગ કર્યો.
કોંગ્રેસ પાર્ટી આ બાબતની કડક નિંદા કરે છે
नागरिकता संशोधन कानून भेदभावपूर्ण है। नोटबंदी की तरह एक बार फिर एक-एक व्यक्ति को अपनी एवं अपने पूर्वजों की नागरिकता साबित करने के लिए लाइन में खड़ा होना पड़ेगा : कांग्रेस अध्यक्ष श्रीमती सोनिया गांधी #IndiaAgainstCAApic.twitter.com/DutghemChe
તેમણે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી આ બાબતની કડક નિંદા કરે છે. નાગરિકચા સંશોધન એક્ટ પક્ષપાતભરેલ છે, કોંગ્રેસ સંવિધાનની મર્યાદા બનાવી રાખવા માટે પ્રતિકૃત સંકલ્પ છે.
નાગરિકતા સંશોધન એક ભેદભાવપૂર્ણ નિર્ણય
સોનિયા ગાંધીએ સરકાર પર હુમલો કરતા કહ્યું કે, નાગરિકતા સંશોધન એક ભેદભાવપૂર્ણ નિર્ણય છે. નોટબંધીની જેમ ફરી એકવાર એક-એક વ્યક્તિને પોતાની તેમજ પોતોના પૂર્વજોની નાગરિકતા સાબિત કરવા માટે લાઇનમાં ઉભા રહેવું પડશે.