સોનિયા ગાંધીએ પેટ્રોલ- ડીઝલ અને ગેસના ભાવ પર પીએમ મોદીને લખેલા પત્રમાં સરકાર પર લાપરવાહ અને સંવેદનહીન હોવાનો આરોપ લગાવ્યો છે.
પીએમ મોદીને લખેલા પત્રમાં સરકાર પર લાપરવાહ અને સંવેદનહીન હોવાનો આરોપ લગાવ્યો
વધતી કિંમતો ઐતિહાસીક અને અવ્યાવહારિક છે
તમે રાજધર્મને નિભાવતા પેટ્રોલ - ડીઝલનો ટેક્સ ઓછો કરી કિંમતોને ઓછી કરો
સોનિયાએ સરકાર પર લોકોના દુઃખ પર ‘નફાખોરી’ કરવાનો આરોપ લગાવ્યો
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે પીએમ મોદીને પત્ર લખી રાજધર્મનું પાલન કરતા તેલ- ગેસના ભાવમાં વધારાને પાછા લેવાની માંગ કરી છે. પત્રમાં ગાંધીએ સરકાર પર લોકોના દુઃખ પર ‘નફાખોરી’ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે વધતી કિંમતો ઐતિહાસીક અને અવ્યાવહારિક છે. પીએમ મોદીને લખેલા પત્રમાં સોનિયાએ કહ્યું કે તેલ અને ગેસના ભાવોમાં વધારાથી તમામ નાગરિતો ગુસ્સામાં છે અને અત્યંત કષ્ટમાં છે. એકતરફ ભારતમાં રોજગાર ખતમ થઈ રહ્યો છે. કર્મચારીઓનું વેતન ઘટાડવામાં આવી રહ્યું છે અને ઘરેલુ આવક સતત ઓછી થઈ રહી છે. મધ્યમ વર્ગ તથા સમાજના છેલ્લા હાંસિયામાં રહેનારા લોકો રોજીરોટી માટે સંઘર્ષ કરી રહ્યા છે.
તમે રાજધર્મને નિભાવતા પેટ્રોલ - ડીઝલનો ટેક્સ ઓછો કરી કિંમતોને ઓછી કરો
આગળ લખ્યું છે કે બીજી તરફ ઝડપથી ભાગતી મોંઘવારી અને લગભગ ચોખા- દાળ સહિત ઘરેલુ જરુરીયાતની તમામ વસ્તુઓના ભાવોમાં અપ્રત્યાશિત ઉછાળે આ પડકારોને વધારે ગંભીર બનાવી દીધા છે. સોનિયાએ પીએમને આગ્રહ કરતા કહ્યું કે તમે રાજધર્મને નિભાવતા પેટ્રોલ - ડીઝલ પર ઉત્પાદન કર આંશિક રુપથી ઘટાડીને તેની કિંમતોને ઓછી કરો જેથી તેનો લાભ આપણા મધ્યમ તથા વેતનભોગી વર્ગ, ખેડૂતો, ગરીબોને મળી શકે.
કોઈ અસંવેદનશીલ ઉયાયોને કેવી રીતે યોગ્ય ગણાવી શકે
સોનિયાએ કહ્યું કે દેશના અનેક વિસ્તારોમાં પેટ્રોલ 100 રુ. પ્રતિ લીટરથી વધારે છે. ડીઝલના સતત વખતા ભાવ કરોડો ખેડૂતોની સમસ્યા વધારી રહ્યા છે. તેમણે કહ્યું કે મોટા ભાગના લોકો એ વાતથી હેરાન છે કે ભાવમાં આ વધારો આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતોના મધ્યમ સ્તર પર હોવા છતાં કરવામાં આવી રહ્યો છે. યોગ્ય વાત તો એ છે કે આ સમયે તેલની કિંમચો યુપીએ સરકારના કાર્યકાળથી લગભગ અડધી હતી. એટલા માટે તમારી સરકારના સતત 12માં દિવસે ભાવમાં વધારો પૂરી રીતે નફાખોરીનું ઉદાહરણ છે. હું એ સમજી નથી શકી રહી કે કોઈ સરકાર લોકોની કિંમત પર ઉઠાવેલા આવા બેપરવાહ અને અસંવેદનશીલ ઉયાયોને કેવી રીતે યોગ્ય ગણાવી શકે છે?
7વર્ષથી સત્તામાં હોવા છતાં સરકાર પોતાના આર્થિક મિસ મેનેજમેન્ટ માટે પાછલી સરકારોને દોષી ઠરાવે છે
તેમણે કહ્યું કે હેરાન કરનારી વાત તો એ છે કે લગભગ 7 વર્ષથી સત્તામાં હોવા છતાં તમારી સરકાર પોતાના આર્થિક મિસ મેનેજમેન્ટ માટે પાછલી સરકારોને દોષી ઠરાવવાથી બાજ નથી આવતી. તેમણે કહ્યું કે, તમે એ વાતથી સહમત હશો કે આ બહાનું શોધવાની જગ્યાએ સમાધાન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે.
18 વર્ષના સૌથી નીચલા સ્તર પર ઘરેલુ તેલ ઉત્પાદન
સોનિયાએ કહ્યું કે દેશમાં 2020 દરમિયાન કાચા તેલનું ઉત્પાદન ગત 18 વર્ષના ન્યૂનત્તમ સ્તર પર હતુ. છતાં તેને વધારવાની જગ્યાએ સરકાર પેટ્રોલ- ડીઝલ પર ઉત્પાદન ટ્રેક્સ વધારવામાં ઉત્સાહી હતી. આ તમારી સરકારના મિસ મેનેજમેન્ટને પહોંચી વળવા જબરજસ્તી વસૂલી કરવા સમાન છે. સોનિયાએ સરકારને સવાલ કર્યો કે ગત અઢી મહિનામાં સિલેન્ડરની કિંમતમાં 175 રુપિયાનો વધારો શું યોગ્ય છે?