જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે થોડા સમય પહેલા સોનિયા ગાંધીને પત્ર લખીને પક્ષમાં માળખાગત ફેરફારો કરવાની અપીલ કરી હતી. તેમને હરિયાણાના ઇન્ચાર્જ પદેથી હટાવીને તેમની જગ્યાએ વિવેક બંસલને હરિયાણાના ઇન્ચાર્જ પદે મુકવામાં આવ્યા છે. આ સાથે રાહુલ ગાંધીના ખાસ રણદીપ સુરજેવાલાનું કદ વધ્યું છે. તેમને પક્ષના જનરલ સેક્રેટરી ઉપરાંત કર્ણાટકના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતમાં સ્થિતિ યથાવત
બીજી બાજુ કોંગ્રેસ રાજ્યોના પ્રભારીઓની પણ નિમણૂક કરી છે. જેમાં રાજીવ સાતવને ગુજરાતના પ્રભારી તરીકે યથાવત્ રખાયા છે. તેમ જ બિહાર અને દિલ્હીના પ્રભારી તરીકે શક્તિસિંહ ગોહિલને પણ યથાવત રખાયા છે.
CWCની પણ ફરીથી રચના કરવામાં આવી હતી અને હવે કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં 22 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે.
સોનિયા ગાંધીએ એક સ્પેશ્યલ કમિટીની પણ રચના કરી
24 ઓગસ્ટના રોજ મળેલી CWCની મીટિંગમાં ચર્ચા દરમ્યાન એક સ્પેશ્યલ કમિટી બનાવવાનું પણ નક્કી થયું હતું. જેના હેઠળ 6 સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે જે સોનિયા ગાંધીને આસિસ્ટ કરશે. આ કમિટીમાં
1. એ. કે એન્ટની
2. અહેમદ પટેલ
3. અંબિકા સોની
4. કે.સી વેણુગોપાલ
5. મુકુલ વાસનિક
6. રણદીપસિંહ સુરજેવાલાનો સમાવેશ થાય છે
આ સાથે જ સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીમાં પણ ફેરફાર કરીને 5 સભ્યોની નિમણુંક કરવામાં આવી છે.