કોંગ્રેસ અધ્યક્ષની કમાન સોનિયા ગાંધીના હાથમાં આવતાની સાથે જે તેમની સામે મોટા પડકારો રાહ જોઇ રહ્યાં છે. જો કે જવાબદારી સંભાળ્યા બાદ બે દિવસમાં સોનિયા ગાંધીએ હાલમાં કોઇ પાર્ટીના નેતાને મળવાનો સમય આપ્યો નથી.
જો કે હાલમાં કોંગ્રેસ પાર્ટીમાં એક જ મુદ્દો જોરશોરથી ચાલી રહ્યો છે કે સોનિયા ગાંધી શું નવા રાષ્ટ્રિય સલાહકારની નિમણૂંક કરશે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીના સલાહકાર રહેલા અહેમદ પટેલને પાર્ટીના કોષાધ્યક્ષ બનાવી દીધા છે.
હાલમાં કોંગ્રેસ નવા અને જૂના નેતાઓ વચ્ચેના આંતરિક યુધ્ધમાંથી પસાર થઇ રહી છે. કોંગ્રેસની કાર્યકારિણી બેઠકમાં સોનિયા ગાંધીને નવા અધ્યક્ષની ચૂંટણી સુધી કાર્યકારી અધ્યક્ષ પદ સંભાળવા માટે મનાવી લીધા છે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ નવા અધ્યક્ષની ચૂંટણી કેટલાંક રાજ્યમાં આવનારી વિધાનસભાની ચૂંટણી બાદ યોજાશે તેવી શક્યતા છે.
આમ સોનિયા ગાંધી સામે સૌથી મોટો પડકાર આગામી ચૂંટણીને લઇને રાજ્યના સંગઠનમાં ચાલી આંતિરક વિવાદને સમાપ્ત કરવાનો રહેશે. જો કે કોંગ્રેસ કાર્યકારિણી સમિતિએ સોનિયા ગાંધીને પોતાની રીતે રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ફેરફાર કરવાનો અધિકાર આપ્યો છે. પરંતુ જે રીતે પાર્ટીમાં જૂના અને નવા નેતાઓ વચ્ચેનો ખટરાગ દેખાય રહ્યો છે તેને દૂર કરવો એક મોટો પડકાર રહેશે.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા બન્યા બાદ હવે કોંગ્રેસમાં સોનિયા ગાંધીના રાજકીય સલાહકારની તપાસ શરૂ થઈ ગઈ છે. નવા સલાહકાર મામલે કોંગ્રેસમાં સસ્પેન્સ યથાવત્ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા અહેમદ પટેલ સોનિયા ગાંધીના સલાહકાર હતા.
જોકે અહેમદ પટેલને હાલ કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જેથી નવા સલાહકારની ચર્ચા ચાલી રહી છે. કાર્યકારી અધ્યક્ષા બન્યા બાદ સોનિયા ગાંધીના માથે રાજ્યોની ચૂંટણીની જવાબદારી પણ તેમના માથે છે. જેથી હવે રાજકીય સલાહકારની શોધ તેજ થઈ ગઈ છે.