વડાપ્રધાન મોદીની સુરક્ષામાં જે ચૂક થઈ તે મામલે સોનિયા ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે. જેમા તેમણે એવું કહ્યું કે પીએમ આખા દેશના છે જેથી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે.
સોનિયા ગાંધીએ સીએમ ચન્નીને આપ્યા આદેશ
કહ્યું પીએમ આખા દેશના છે
જવાબદારો સામે કાર્યવાહી કરવા કહ્યું
પીએમ મોદીની સુરક્ષામાં ચૂક થઈ તે મામલો હવે ગરમાઈ રહ્યો છે. પંજાબ સરકાર પર ભાજપ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ મુખ્યમંત્રી ચન્ની સુરક્ષામાં થયેલી ચૂક સ્વિકારી નથી રહ્યા. ત્યારે આ બધા વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સીએમ ચન્ની સાથે વાત કરી છે જેમા તેમણે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
સુરક્ષાનો પુરો બંદોબસ્ત કરવાનો હતો : સોનિયા ગાંધી
પીએમની સુરક્ષામાં જે ચૂક થઈ તે મામલે કોંગ્રેસ હાઈકમાન્ડે સીએમ ચન્ની પાસે વિસ્તૃતમાં જાણકારી માગી છે. સીએમ ચન્ની સાથે વાત કરતા સોનિયા ગાંધીએ કહ્યું કે તેમની સુરક્ષાનું પુરતુ ધ્યાન રાખવા જોઈતું હતુ. જે પણ આ કાર્ય પાછળ જવાબદાર છે તેમની સામે કાર્યવાહી કરવાંમાં આવે સાથે તેમણે કહ્યું કે સુરક્ષાનો બંદોબસ્ત પુરી રીતે કરવાનો હતો.
સીએમ ચન્ની દ્વારા પુરી જાણકારી આપવામાં આવી
સમગ્ર મામલે સોનિયા ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી પૂરા દેશના છે. બીજી તરફ સીએમ ચન્ની દ્વારા પણ સોનિયા ગાંધીને ઘટનાની પૂરી જાણકારી આપવામાં આવી સાથેજ તેમણે કહ્યું કે તેમણે તપાસના આદેશ પણ આપ્યા છે.
પોલીસની કોઈ ભૂલ નથી રસ્તો બદલવામાં આવ્યો: CM ચન્ની
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સીએમ ચન્ની દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે પીએમ દ્વારા કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો હતો. તેઓ હેલિકોપ્ટરથી જવાના હતા તેના બદલે તેમણે અલગ રસ્તો વાપર્યો સાથેજ તેમણે એવું પણ કહ્યું હતું કે આમા પોલીસની કોઈ ભૂલ નથી. પ્રદર્શનકારીઓ જે જગ્યાએ હતા ત્યાથી તેમનો કાફલો એક કિલોમિટર દૂર રોકી દેવામાં આવ્યો તો તેમા ખતરો કઈ વાતનો ?