કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરુવારે પરોક્ષ રીતે નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે આજે કેટલાક લોકો નવું ભાવિ નહીં પણ નવો ઇતિહાસ બનાવવામાં વ્યસ્ત છે. રાજધાની દિલ્હીમાં સોનિયા ગાંધીએ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની 75 મી જન્મજયંતિ પર આયોજિત એક કાર્યક્રમમાં મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા.
મોદી સરકાર પર પ્રહાર
તેમણે કહ્યું કે, "રાજીવ ગાંધીએ ભારે બહુમતીથી જીત મેળવી હતી પરંતુ તેમણે લોકોને ડરાવવા કે ધમકાવવા માટે તેનો ઉપયોગ કર્યો ન હતો." સોનિયાની આ ટિપ્પણી પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમની ધરપકડની પૃષ્ઠભૂમિ માટે કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આઈએનએક્સ મીડિયા સાથે જોડાયેલા કેસમાં સીબીઆઈએ બુધવારે રાત્રે ચિદમ્બરમને ધરપકડ કરી હતી.
મજબૂત ભારત બનાવવાનો સંકલ્પ
ચિદમ્બરમે તેમની સામેના આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેમને આશા છે કે તપાસ એજન્સીઓ કાયદાનું સન્માન કરશે. પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના યોગદાનને યાદ કરતાં સોનિયાએ કહ્યું કે, "રાજીવ ગાંધીએ એક મજબૂત, સુરક્ષિત અને આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ રાખ્યો હતો.
તેમણે કહ્યું, 'વડા પ્રધાન તરીકે તેઓ દેશના ખૂણે ખૂણે ગયા અને આ સંદેશ આપ્યો કે ભારતની વિવિધતાનો ઉત્સવ મનાવીને જ આપણે દેશને મજબુત બનાવી શકીશું.'
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે પંજાબ, આસામ અને મિઝોરમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં તેમના પિતા અને પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની ભૂમિકાને યાદ કરી. આ કરારોએ વર્ષોના સંઘર્ષ અને હિંસાને સમાપ્ત કરવામાં મદદ કરી.