પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં ભૂંડી હાર પર દિલ્હીમાં રવિવારે લગભગ પાંચ કલાક સુધી ચાલેલી કોંગ્રેસ કાર્યકારીણીની બેઠકનું મંથન ખતમ થઈ ગયું છે.
પાંચ રાજ્યોમાં મળી કોંગ્રેસને ભૂંડી હાર
સોનિયા ગાંધીએ કરી આ વાત
સીવીસીની બેઠકમાં પાંચ કલાક ચાલ્યું મંથન
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં ભૂંડી હાર પર દિલ્હીમાં રવિવારે લગભગ પાંચ કલાક સુધી ચાલેલી કોંગ્રેસ કાર્યકારીણીની બેઠકનું મંથન ખતમ થઈ ગયું છે. સંગઠનમાં નેતૃત્વ પરિવર્તનની માગને લઈને રણદીપ સુરજેવાલાએ મીડિયાને સ્પષ્ટ કર્યું છે કે, બેઠકમાં એ નક્કી થયું છે કે, પાર્ટી સોનિયા ગાંધીના નેતૃત્વમાં જ આગળ વધશે.
જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં સોનિયા ગાંધીએ પોતાના રાજીનામાની ઓફર પણ આપી હતી, તેમણે કહ્યું હતું કે, જો પાર્ટી સભ્યોને એવું લાગે છે કે, ગાંધી પરિવારના કારણએ કોંગ્રેસ પાર્ટી આગળ નથી વધી શકતી, તો અમે દરેક ત્યાગ આપવા માટે તૈયાર છીએ.
રાહુલ બને પૂર્ણકાલિન અધ્યક્ષ
ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી ભૂંડી હાર બાદ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે રવિવારે કહ્યું કે, રાહુલ ગાંધીને તાત્કાલિક પૂર્ણકાલીન ભૂમિકામાં કોંગ્રેસ અધ્યક્ષ પદ ગ્રહણ કરી લેવું જોઈએ. મારા જેવા કરોડો કોંગ્રેસના કાર્યકર્તાઓની આ ઈચ્છા છે.
થરૂરે સંગઠનમાં સુધારની વાત કરી
CWCની બેઠક દરમિયાન કોંગ્રેસ નેતા શશિ થરૂરે G-23 સભ્યો દ્વારા બે વર્ષ પહેલા જ લખેલા એક પત્ર શેર કર્યો, સાથે જ તેમણે કહ્યું કે, પત્રમાં તમામ સભપ્યોએ સંગઠન પરિવર્તનની માગ કરી હતી, જેથી અમુક વાતો વધુ સારી રીતે આગળ વધી ડશે. પણ ત્યારથી લઈને અત્યાર સુધીમાં કંઈ ખાસ ફેરફાર થયો નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ દેશનો સૌથી વિશ્વસનિય વિપક્ષી દળ છે, ત્યારે આવા સમયે તેમાં સુધારની આવશ્યકતા તો છે.
ગેહલોતે ફરી રાહુલ ગાંધી પર વિશ્વાસ વ્યક્ત કર્યો
CWCની બેઠક પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, ચૂંટણીમાં હાર જીત તો થતી રહે છે. રાહુલ ગાંધી એકલા વ્યક્તિ છે, જે પ્રધાનમંત્રી મોદીને પુરા દમ સાથે ટક્કર આપી શકે છે. રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવા જોઈએ, તેનાથી પાર્ટીએ એકજૂટતા આવશે.