રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS) પર કટાક્ષ કર્યો છે. કોંગ્રેસની પદયાત્રાના સમાપન પર સોનિયા ગાંધીએ કહ્યુ કે, કેટલાક લોકો આજે RSS ને દેશનું પ્રતિક બનાવવા ઇચ્છે છે, પરંતુ આ સંભવ નથી. અમારા દેશની મૂળમાં ગાંધીના વિચાર છે.
ગાંધી જયંતી પર સોનિયા ગાંધીનું સંબોધન
RSS- મોદી સરકાર પર કટાક્ષ
કોંગ્રેસને દેશભરમાં નીકાળી પદયાત્રા
કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરતા સોનિયા ગાંધીએ કહ્યુ કે, મહાત્મા ગાંધીએ આખી દુનિયાને અહિંસાનો રસ્તો અપનાવવા માટેની પ્રેરણા આપી હતી, આજે ભારત જ્યાં પહોંચ્યો છે તે ગાંધીના રસ્તા પર ચાલીને પહોંચ્યો છે. ગાંધીનું નામ લેવું સરળ છે પરંતુ તેમનો રસ્તો પસંદ કરવો મુશ્કેલ છે.
'હિંદુસ્તાનના મૂળમાં ગાંધી છે'
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યુ કે, ''મહાત્મા ગાંધીના રસ્તાથી હટાવીને પોતાની દિશામાં લઇ જનારા પહેલા પણ ઓછા ન હતા, ગત કેટલાક વર્ષોમાં સામ-દામ-દંડ-ભેદનો ખુલ્લો વેપાર કરીને પોતાને વધારે તાકતવર સમજે છે, આ છતાં ભારત ભટક્યુ નથી કેમકે આપણા દેશમાં ગાંધીના વિચારો આધારશિલા છે. આજકાલ કેટલાક લોકો ગાંધીના વિચારોને ઉલ્ટા કરવાનો પ્રયત્ન કરે છે. કેટલાક લોકો ઇચ્છે છે કે ગાંધી નહી RSS દેશનો પ્રતિક બની જાય, પરંતુ આ સંભવ નથી. ''
સોનિયા ગાંધીએ આગળ કહ્યુ કે, ''જે અસત્ય પર આધારિત રાજનીતિ કરી રહ્યા છે તેઓ કેવી રીતે સમજશે કે ગાંધી સત્યના પૂજારી હતા. જેમણે પોતાની સત્તા માટે બધુ જ કરવા માટે તૈયાર છે તેઓ કેવી રીતે સમજશે કે ગાંધી અંહિસાના પૂજારી હતા. જેમણે તક મળતા જ પોતાને સર્વેસર્વા બનાવવાની આદત હોય તેઓ ગાંધીના નિસ્વાર્થનું મૂલ્ય કેવી રીતે સમજશે. નેહરૂ-ઇન્દિરા-રાજીવ-નરસિમ્હા અને મનમોહન સિંહે દેશને આગળ લઇ જવાનું કામ કર્યુ હતુ. ગત થોડા વર્ષોમાં ભારતી જે સ્થિતિ છે તેણે જોઇને ગાંધીની આત્માને દુખ થશે. આજે ખેડૂત દયનીય સ્થિતિમા, યુવા બેરોજગાર છે, માતા-બહેનો સુરક્ષિત નથી.''