મધ્યપ્રદેશમાં હોળીના અવસરે કોંગ્રેસને મોટા ઝટકા મળી રહ્યા છે. મધ્યપ્રદેશમાં પાર્ટીના કદાવર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલવામાં આવેલું રાજીનામુ સાર્વજનિક કર્યું છે. તેઓએ પત્ર દ્વારા કહ્યું કે તેઓે કોંગ્રેસમાં રહેતા રાજ્ય અને દેશ માટે કંઇક સારુ નથી કરી શકતા. એવામાં આગળ વધવાનો સમય છે.
સિંધિયાના રાજીનામા બાદ તેમના સમર્થક જુથમાંથી 22 ધારાસભ્યોએ પણ સ્પીકરને રાજીનામુ આપ્યું
કોંગ્રેસના આ બળવાખોર 22 ધારાસભ્યોમાંથી 6 રાજ્ય મંત્રી પણ છે
સિંધિયાના રાજીનામા બાદ તેમના સમર્થન વાળા જુથના 22 ધારાસભ્યોએ પણ સ્પીકરને રાજીનામુ મોકલી દીધું છે. કોંગ્રેસ ધારાસભ્ય મનોજ ચૌધરીએ પણ રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસના આ બળવાખોર 22 ધારાસભ્યોમાંથી 6 રાજ્ય મંત્રી પણ છે. આ તમામ કર્ણાટક સ્થિત બેંગલુરુના રિસોર્ટમાં હતા. જેઓએ સિંધિયાના રાજીનામાના થોડા જ સમય બાદ રાજીનામુ આપ્યું છે.
કોંગ્રેસ નેતા અધીર ચૌધરીનું કહેવું છે કે, સિંધિયા જી ઘણા મોટા પદો પર રહ્યા છે. હોઇ શકે છે કે મોદી જીએ તેઓેને મંત્રી પદની લાલચ આપી હોય. અમે જાણીએ છીએ કે તેમનો પરિવાર ઘણા દાયકાઓથી ભાજપના સંપર્કમાં છે. તોપણ આ મોટુ નુકશાન છે. મને નથી લાગતું કે અમારી સરકાર બચી શકે છે. આ આજના સમયની બીજેપીની રાજનીતિ છે, જે હંમેશા સરકારોને અસ્થિર કરવાની કોશિશ કરે છે. ત્યારે મનાઇ રહ્યું છે કે મધ્ય પ્રદેશમાં સાંજ સુધીમાં નવી સરકારની રચના થઇ શકે છે.
કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામું મોકલ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાઇ શકે છે. જ્યોતિરાદિત્ય પિતાના પગલે ચાલી રહ્યા હોવાનું પણ મનાઈ રહ્યું છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. કોંગ્રેસના તમામ હોદ્દા પરથી સિંધિયાએ રાજીનામું આપ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ PM મોદી અને અમિત શાહ સાથે PM નિવાસસ્થાને ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે આજે સાંજે જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાઈ શકે છે. આવતીકાલે રાજ્યસભા માટે ભોપાલથી ઉમેદવારી ફોર્મ પણ ભરી શકે છે.
મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા જુથમાં ધારાસભ્યોની નારાજગી બાદ ભાજપની સરકાર બનાવાની શક્યતા પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે મોડી રાત્રે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નિવાસ સ્થાન પર બેઠક કરી હતી.