રાજ્યના તમામ જિલ્લામાં વહીવટી કુશળતા માટે પ્રભારી સચિવોની નિમણૂક કરાઈ, અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ છે જ્યારે પ્રભારી સચિવ તરીકે મુકેશ કુમારને જવાબદારી સોંપાઈ છે
અમદાવાદમાં પાન-મસાલાના શોખીનો માટે ઝટકા સમાન સમાચાર આવ્યા છે. અમદાવાદમાં જાહેરમાં થૂંકનારને દંડ ફટકારવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકાએ જાહેરમાં રસ્તા પર પાન-મસાલા ખાઈ થૂંકી ગંદકી ફેલાવતા લોકોને દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. શહેરમાં જાહેરમાં થૂંકનારને ઈ-મેમો ફટકારવામાં આવશે.શહેરના રસ્તા પર થૂંકનાર પર AMCના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી નજર રાખવામાં આવશે. જે બાદ મનપા આવા કેસોની વિગતો પોલીસને મોકલશે. છેલ્લા 2 મહિનાના 257 સ્પિટિંગ કેસ પોલીસને મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે, સુરતમાં પણ આ નિયમ લાગું થઈ ચૂક્યો છે. અહીં જાહેરમાં થૂંકનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આબુરોડ પર તુફાન અને ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે ટેમ્પામાં સવાર 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને આબુરોડ ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા તુફાનને આબુ રોડના ચંદ્રવતી પાસે અકસ્માત નડ્યો હતો. ચંદ્રવતી પાસે તુફાન અને ટ્રેલર વચ્ચે ધડાકાભેર અથડામણ થઈ હતી. જે બાદ રાહદારીઓના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં જ રાજસ્થાન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
ગુજરાતમાં ગુનાખોરી સતત વધી રહી છે. આરોપીઓએ અહંકારને સંતોષવા હિંસાને હથિયાર તરીકે અપનાવ્યું છે. ત્યારે આજે વાપીમાં ધોળે દિવસે હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. વાપીના રાતા ગામે તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યાથી ચકચાર મચી ગઈ છે. હાલ વાપી પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.મળતી માહિતી અનુસાર, વાપી તાલુકાના ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. આ દરમિયાન વાપીના રાતા ગામે બે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરીને બાઇક પર આવેલા શખ્સો ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં શૈલેષ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ થતાંની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
રાજ્યના તમામ જિલ્લામાં વહીવટી કુશળતા માટે પ્રભારી સચિવોની નિમણૂક કરાઈ છે. પ્રભારી સચિવ તરીકે રાજ્ય સરકારે વિવિધ સિનિયર અધિકારીઓને જવાબદારી સોંપી છે. તમામ 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવો તરીકે નિમણૂક કરાઈ છે અત્રે તમને જણાવી દઈએ કે, અગાઉ જિલ્લાઓમાં મંત્રીઓને પ્રભારી મંત્રીઓ તરીકેની જવાબદારી સોંપાઈ હતી અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ છે જ્યારે પ્રભારી સચિવ તરીકે મુકેશ કુમારને જવાબદારી સોંપાઈ છે તેમજ અમરેલીમાં પરષોત્તમ સોલંકી પ્રભારી મંત્રી છે જ્યારે પ્રભારી સચિવ સંદીપકુમારને બનાવાયા છે જ્યારે બનાસકાંઠામાં બળવંતસિંહ રાજપૂત પ્રભારી મંત્રી છે અને પ્રભારી સચિવ વિજય નહેરાની નિમણૂક કરાઈ છે. ગાંધીનગર જિલ્લામાં પ્રભારી સચિવની જવાબદારી મિલિંદ તોરવણેને સોંપાઈ છે. મહીસાગરમાં અશ્વિની કુમારને પ્રભારી સચિવ બનાવવામાં આવ્યા છે.
ગાંધીનગરમાં કર્મયોગી ભવનમાં આગની ઘટના બની હતી. કચેરીના બ્લોક નં.2માં પ્રથમ માળે આગ લાગતા અફરા તફરી મચી હતી. ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમા આગના બનાવના પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી તેમજ આગ પર કાબૂ મેળવ્યો હતો. કચેરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવનાનું જાણવા મળ્યું છે તેમજ આગના પગલે ઓફિસમાં કામ કરતા તમામ કર્મચારીઓ કચેરીમાંથી બહાર દોડી આવ્યા હતાં. જે બનાવના પગલે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, સ્ટ્રોંગ રુમમાં કોઈ તકલીફ નથી, પેપર વગેરે સલામત છે. જે રુમમાં આગ લાગી હતી ત્યાં ફક્ત ફર્નીચર બળ્યું છે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે જે અનુસાર હવે સરકારી કર્મીચારીઓ વડોફોન-આઈડિયા કંપનીના મોબાઈલ નંબરના બદલે તેમને જીઓ નંબર જ વાપરવો પડશે. તમને જણાવી ગુજરાતમાં અત્યારસુધી વોડાફોન અને આઈડિયાની કંપનીના મોબાઈલ નંબરના પોસ્ટપેઈડ કનેક્શન સરકારી કર્મીઓ વાપરતા હતા. હવે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે કે, કર્મચારીઓને જીઓ નંબર જ વાપરવાનો રહેશે. જેમાં 37.50માં મહિનાનો રેન્ટલ પર જીઓ સીયુજી પ્લાન પણ ઉપલબ્ધ છે. પરિપત્રમાં જણાવ્યું છે કે, મે. વોડાફોન-આઈડિયા લી.ના મોબાઈલ ફોન તા.31.5.2023 સુધી બીલો સત્વરે ભરપાઈ થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં પણ જણાવ્યું છે. જેનાથી MNPની કાર્યવાહી ઝડપથી પૂર્ણ થઈ શકે.
લોકસભાની ચૂંટણી આડે હવે એકાદ વર્ષનો સમય બાકી છે, ત્યારે ગુજરાત ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. લોકસભાની તમામે તમામ 26 બેઠકો જીવવા માટે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત ભાજપે તૈયારી તેજ કરી દીધી છે. જિલ્લા કારોબારીના અપેક્ષિત સભ્યોની કમલમમાં બેઠક ચાલી રહી છે. જેમાં નવસારી લોકસભા બેઠકની રણનીતિ મુજબ અન્ય લોકસભા બેઠકોની ચૂંટણી અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવશે. બેઠકમાં સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ચૂંટણી મેનેજમેન્ટ અને બુથ મેનેજમેન્ટનું પ્રેઝન્ટેશન આપશે. મહત્વનું છે કે, દેશમાં સૌથી વધુ મત સાથે નવસારી લોકસભા બેઠક ભાજપે કબજે કરી હતી.
રાજસ્થાનની એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજસ્થાનનાં હનુમાનગઢમાં એરફોર્સનું મિગ-21 વિમાન ક્રેશ થયું છે. પ્રાથમિક વિગતો મુજબ ઘરની છત પર વિમાન પડ્યું હતું. આ દુર્ઘટનામાં 2 ગ્રામીણ નાગરિકોના મોત થયાનું પણ સામે આવ્યું છે. ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર એરક્રાફ્ટ રાજસ્થાનના હનુમાનગઢ પાસે ક્રેશ થયું હતું. આ વિમાને સુરતગઢથી ઉડાન ભરી હતી. અહીં વાયુસેનાનું મિગ-21 વિમાન ક્રેશ થયું અને રહેણાંક વિસ્તારમાં પડ્યું હતું. આ અકસ્માતમાં બે મહિલાઓના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. જોકે બંને પાયલોટ સુરક્ષિત છે.
#WATCH | Indian Air Force MiG-21 fighter aircraft crashed near Hanumangarh in Rajasthan. The aircraft had taken off from Suratgarh. The pilot is safe. More details awaited: IAF Sources pic.twitter.com/0WOwoU5ASi
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી દીધું છે. આ તરફ આજે કર્ણાટક ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે. આ બધાની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં પૂર્ણ બહુમતીથી ભાજપની સરકાર બનશે. આ સાથે ઉમેર્યું કે, ભાજપને તમામ તરફથી સમર્થન મળી રહ્યુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, મેં કર્ણાટકના તમામ પ્રદેશોની મુલાકાત લીધી છે. ગત ચૂંટણીની સરખામણીએ તમામ પ્રદેશોમાં ભાજપ તરફ વલણ, ઉત્સાહ અને સમર્થન પ્રચંડ છે. ભાજપ ત્યાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે.
#WATCH कर्नाटक के सभी क्षेत्रों में मेरा दौरा हुआ है। सभी क्षेत्रों में भाजपा के प्रति रूझान, उत्साह और समर्थन गत चुनाव की सापेक्ष में बहुत बड़ा है..भाजपा वहां पूर्ण बहुमत के साथ सरकार बनाएगी: केंद्रीय गृह मंत्री अमित शाह, दिल्ली pic.twitter.com/BETkk9ZEE6
કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવેલ ટ્વીટ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ચૂંટણી પંચે સોમવારે (8 મે) નોટિસ ફટકારી છે. જેમાં કોંગ્રેસ પ્રમુખને કહ્યું કે સોનિયા ગાંધીના નિવેદનને લઈને કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ દ્વારા કરવામાં આવેલ ટ્વીટને સુધારવા અને સ્પષ્ટતા કરવા તાકીદ કરાઈ છે. ટ્વીટ બાદ ભાજપે ચૂંટણી પંચને કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી સામે કાર્યવાહી કરવા માંગ ઉઠાવી હતી. જેમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટક માટે 'સાર્વભૌમત્વ' શબ્દનો ઉપયોગ કરવા બદલ પાર્ટીની માન્યતા રદ કરવા સહિતની શિક્ષાત્મક કાર્યવાહી માટે નિર્દેશો જારી કરવા એફઆઈઆર નોંધવા માંગ ઉઠવી હતી.કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નેતૃત્વ હેઠળ ભાજપે આ મામલે ચૂંટણી પંચને આવેદનપત્ર સોંપ્યું હતું જેમાં પાર્ટીએ ઉલ્લેખ કર્યો હતો કે, કર્ણાટક ભારતીય સંઘમાં એક મહત્વપૂર્ણ સદસ્ય રાજ્ય છે જેમાં ભારતીય સંઘના સભ્ય રાજ્યની સાર્વભૌમત્વની રક્ષા કરવા માટેનો કોઈપણ કૉલ અલગતા માટે બોલાવવા સમાન છે અને તે ઘાતક પરિણામોની ભીતિ સર્જાઈ છે.
ભારત-અમેરિકા સહિતના અનેક દેશો હવે ચીનની ઊંઘ હરામ કરી શકે છે. વાત જાણે એમ છે કે, આગામી સમયમાં ભારત, અમેરિકા, સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયા એક પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકે છે. પ્રાથમિક વિગતો મુજબ આ પ્રોજેક્ટ મધ્ય પૂર્વના દેશોને રેલ નેટવર્ક દ્વારા જોડશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ દ્વારા મધ્ય પૂર્વને દરિયાઈ માર્ગો દ્વારા દક્ષિણ એશિયા સાથે જોડવામાં આવશે તેવા અહેવાલો સામે આવ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આ સંબંધમાં રવિવારે સાઉદી અરેબિયામાં અમેરિકા, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના તેમના સમકક્ષો સાથે મુલાકાત કરી છે.
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફિલ્મ 'ધ કેરેલા સ્ટોરી'ને પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો છે. મમતાએ રાજ્યનાં મુખ્ય સચિવને આદેશ આપ્યો છે કે બંગાળનાં થિયેટર્સ પરથી આ ફિલ્મને હટાવવામાં આવે.કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય બંગાળમાં શાંતિ જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે જેથી શહેરમાં હિંસા અને ક્રાઈમનું વાતાવરણ ન ફેલાય.મમતા બેનર્જીએ ભાજપ પર મોટો આરોપ પણ મૂક્યો છે. તેમણે કહ્યું કે ભાજપની સરકાર બનાવટી અને ખોટી સ્ટોરીવાળી બંગાળ ફાઈલ્સ ફિલ્મ બનાવવા માટે ફિલ્મકારોને પૈસા આપી રહી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપ, ' The Kerala Story' નામની ફિલ્મ દેખાડી રહી છે જેની સ્ટોરી બનાવટી છે. થોડાં દિવસો પહેલાં ભાજપનાં મોકલેલા એકટર્સ બંગાળ આવ્યાં હતાં અને તે બનાવટી સ્ટોરીવાળી ફિલ્મ બંગાળ ફાઈલ્સ તૈયાર કરી રહ્યાં છે.
Bengal govt bans controversial movie, ‘The Kerala Story’: official