કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર વિરુધ્ધ 5થી 15 નવેમ્બર વચ્ચે જાહેર કરેલ અભિયાન અંગેની રણનીતિ તૈયારી કરવા માટે 2 નવેમ્બરે કોંગ્રેસના નેતાઓની મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં દેશભરમાં કેન્દ્રની મોદી સરકાર વિરુધ્ધ કયા પ્રકારનું જન આંદોલન કરવામાં આવે તે અંગની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર સામે એકશનમાં કોંગ્રેસ અધ્યક્ષા
રણનીતિને લઇને 2જી નવેમ્બરના રોજ બોલાવી મહત્વપૂર્ણ બેઠક
કોંગ્રેસ દ્વારા 5થી 15 વચ્ચે સરકાર વિરુધ્ધ જાહેર કરાયું અભિયાન
સોનિયા ગાંધીએ આગામી નવેમ્બરમાં કેન્દ્ર સરકાર સામે જાહેર કરેલા અભિયાને ધારદાર બનાવવા માટે 2જી નવેમ્બરના રોજ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની બેઠક બોલાવી છે.
આ બેઠકમાં કોંગ્રેસના બધા મહાસચિવ સાથે રાજ્યના પ્રભારી અને મહિલા કોંગ્રેસ, યૂથ કોંગ્રેસ, NSUI સહિત બધા ફ્રંટલ ઓર્ગેનાઇઝનના અધ્યક્ષ સામેલ થશે. કોંગ્રેસ આગામી સમયમાં મોદી સરકારની આર્થિક નીતિ અને નિર્ણયો વિરુધ્ધ જનતાના દરબારમાં જવા ઇચ્છે છે.
આગામી નવેમ્બરમાં 5થી 15 વચ્ચે જાહેર કરેલા અભિયાનમાં કોંગ્રેસની નજર શહેરી વિસ્તાર કરતાં વધારે ગ્રામિણ વિસ્તાર પર છે. જ્યાં આર્થિક મંદી અને અર્થવ્યવસ્થા સાથે જોડાયેલ નોટબંધી અને GSTના નિર્ણયના કારણે ખેડૂતો, ગ્રામ્ય વિસ્તાર, નાના વેપારીઓમાં વધુ નુકસાન જોવા મળી રહ્યું છે.
કોંગ્રેસ ઔદ્યોગિક વિસ્તારમાં પણ જનસંપર્ક તેજ કરવા ઇચ્છી રહી છે, જેમાં મંદીમાં ચાલી રહેલા ઉદ્યોગોને લઇને કેન્દ્રની મોદી સરકારને ઘેરી શકાય.