કોંગ્રેસ પક્ષ દ્વારા આર્થિક મંદી, ખેડૂત વિરોધી નીતિ, મહિલાઓ વિરુદ્ધ હિંસા, બેરોજગારી અને બંધારણ પર હુમલાને લઇને મોદી સરકાર વિરુદ્ધ આજે રામલીલા મેદાન ખાતે 'ભારત બચાવો' રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાધી સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં. જેમાં કોંગ્રેસની આ રેલીમાં આ નેતાઓએ કેન્દ્રની મોદી સરકારને વિવિધ મુદ્દાઓ પર આડે હાથ લીધી હતી.
ભારત બચાવો રેલીમાં કોંગ્રેસના મોદી સરકાર વિરુધ્ધ આકરા પ્રહાર
સોનિયા ગાંધીએ મોદી-શાહ પર સાધ્યુ નિશાન
મોદી-શાહનો એક જ એજન્ડા લોકોને લડાવો અને સાચા મુદ્દાને છુપાવો
દેશની હાલત ઘણી ગંભીર થઇ ગઇ છે
'ભારત બચાવો' રેલીમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે આપણે બધા અહીં એટલા માટે આવ્યા છીએ કે છેલ્લા ઘણા સમયથી દેશની પરિસ્થિતિ ખરાબ થઇ ગઇ છે. આપણી જવાબદારી બને છે કે આપણે ઘરમાંથી બહાર નીકળીએ અને તેમના વિરુદ્ધ આંદોલન કરીએ. આજે એ સમય આવી ગયો છે. દેશને બચાવો હોય તો આપણે કઠોર સંઘર્ષ કરવો પડશે. આજે આપણો યુવા એવી બેરોજગારીનો સામનો કરી રહ્યો છે જે છેલ્લા દાયકામાં જોવા નથી મળી.
काफी समय से देश की हालत बहुत गंभीर हो गई है। हमारी जिम्मेदारी बनती है कि हम अपने घरों से बाहर निकलें और आंदोलन करें : कांग्रेस अध्यक्ष श्रीमती सोनिया गाँधी#BharatBachaoRallypic.twitter.com/0vcMDW70pY
સોનિયા ગાંધીએ કહ્યું કે આજે જ્યારે હુ ખેડૂત ભાઇઓની સ્થિતિ જોવ છું તો ઘણી તકલીફ થાય છે. તેમને ખેતી માટે સમયસર બીજ મળી રહી નથી, આસાનીથી ખાદ્ય નથી મળતું. પાણી-વીજળી મળતુ નથી. પાકને યોગ્ય કિંમત મળી રહી નથી. નાના વેપારીઓ મોદી સરકારની ખોટી નીતિઓના કારણે નુકસાની ભોગવી રહ્યા છે.
નાગરિકતા કાયદાને લઇને સોનિયા ગાંધી કર્યા આકરા પ્રહાર
મહિલાઓની ઉપર આજે અપરાધ વધી રહ્યા છે જેને જોઇને માથુ શરમથી ઝુકી જાય છે. આજે દેશમાં અંધેરી નગરી ચોપટ રાજા જેવો માહોલ છે. દેશના લોકો પૂછી રહ્યાં છે કે સબકા સાથ સબકા વિશ્વાસ ક્યાં છે. રોજગારી ક્યાં ચાલી ગઇ. અર્થવ્યવસ્થા કેમ નષ્ટ થઇ ગઇ. તમે જ કહો કે આ વાતની તપાસ થવી જોઇએ કે નહીં કે કાળુ નાણુ લાવવા માટે નોટબંધી કરી હતી તો કાળુ નાણુ બહાર કેમ ન આવ્યું. તે કાળુ નાણું ક્યાં ગયુ.
જીએસટી બાદ મોદી સરકારનો ખજાનો ખાલી કેમ થઇ ગયો. આપણી નવરત્ન કંપનીઓને કયા કારણે વેંચવામાં આવી રહી છે અને કોને વેચાણ કરવામાં આવી રહ્યું છે. જનતાના પૈસા બેંકોમાં પણ સુરક્ષિત નથી.
સોનિયા ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે મોદી-શાહનું એકમાત્ર લક્ષ્ય છે, એક જ એજન્ડા છે કે લોકોને અંદરો-અંદર લડાવો અને સાચા મુદ્દાને છુપાવો. કોંગ્રેસે જનતાના હિત માટે હંમેશા લડાઇ લડી છે આજે પણ પીછે હટ નહીં કરે.