કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટી શાસિત રાજ્ય સરકારને સોમવારે જણાવ્યું કે તેઓ કેન્દ્ર સરકારના 'કૃષિ વિરોધી' વાક્યોને નિષ્પ્રભાવી બનાવવા માટે પોતાના રાજ્યમાં કાયદો પાસ કરવાની સંભાવના પર વિચાર કરો.
પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસિત પ્રદેશોને સલાહ આપી છે કે તેઓ સંવિધાનના અનુચ્છેદ 254(A) હેઠળ કાયદો પસાર કરવાના સંદર્ભમાં વિચાર કરે.
વેણુગોપાલે કહ્યું કે આ અનુચ્છેદ આ 'કૃષિ વિરોધી તેમજ રાજ્યોના અધિકાર ક્ષેત્રમાં દખલ આપનારા' કેન્દ્રીય કાયદાઓનો નિષ્પ્રભાવી કરવા માટે રાજ્ય વિધાનસભાઓને કાયદો પસાર કરવાનો અધિકાર આપે છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ અને પોંડીચેરીમાં કોંગ્રેસની સરકાર છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં તેઓની ગઠબંધન સરકારનો એક ભાગ છે. વેણુગોપાલે દાવો કર્યો છે કે, 'રાજ્યના પગલાથી કૃષિ સંબંધી ત્રણ કાયદાને અસ્વીકાર કરી તેમજ ખેડૂત વિરોધી પ્રાવધાનથી કિનારો કરી શકાય છે.'
આ પ્રાવધાનમાં ન્યૂનતમ સમર્થન મૂલ્યને ખત્મ કરવા અને APMCને બાધિત કરવાનું પ્રાવધાન સામેલ છે. કોંગ્રેસના મહાસચિવે એમ પણ કહ્યું, કોંગ્રેસ શાસિત રાજ્ય તરફથી કાયદો પસાર કરાયા બાદ ત્યાંના ખેડૂતોને આ ઘોર અન્યાયથી મુક્તિ મળશે જે મોદી સરકાર અને ભાજપા દ્વારા તેમની સાથે કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં પુરા થયેલા મોનસૂન સત્રમાં ત્રણ કૃષિ બિલોને મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે આ બિલો પર મંજૂરીની મહોર પણ લગાવી દીધી છે, આમ હવે તે કાયદો બની ગયો છે.