પાંચ રાજ્યોમાં કોંગ્રેસની ભૂંડી હાર બાદ સોનિયા ગાંધીએ સોશિયલ મીડિયાથી લોકતંત્ર હૈક કરવાનો ગંભીર મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો હતો.
લોકસભામાં સોનિયા ગાંધીનો ફુટ્યો ગુસ્સો
સોશિયલ મીડિયા કંપની તમામ પાર્ટીને સમાન મોકો આપતી નથી
વૃદ્ધ અને યુવાનોના મગજમાં દુષ્પ્રચારથી નફરત ભરવામાં આવે છે
પાંચ રાજ્યોમાં કોંગ્રેસની ભૂંડી હાર બાદ સોનિયા ગાંધીએ સોશિયલ મીડિયાથી લોકતંત્ર હૈક કરવાનો ગંભીર મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો હતો. સોનિયા ગાંધીએ કહ્યું કે, સોશિયલ મીડિયા દ્વારા આપણા લોકતંત્રને હૈક કરવાનો ખતરો સતત વધી રહ્યો છે. પોલિટિકિલ નૈરૈટિવ સેટ કરવા માટે નેતાઓ, પાર્ટીઓ અને તેમના પ્રતિનિધિઓ દ્વારા ફેસબુક અને ટ્વિટરનો ઉપયોગ કરવામાં આવે છે.
Young & old minds are being filled with hate through emotionally charged disinfo, &proxy advertising companies like FB are aware of it&are profiting from it. Report shows a growing nexus b/w big corporations, ruling establishment & global social media giants like FB: Sonia Gandhi pic.twitter.com/m3onTpis80
સોનિયા ગાંધીએ આગળ કહ્યું કે, આ સાર્વજનિક રીતે વારંવાર સામે આવ્યું છે કે, વૈશ્વિક સોશિયલ મીડિયા કંપનીઓ તમામ પાર્ટીઓને સમાન અવસર આપતી નથી. ફેસબુક દ્વારા સત્તામાં બેઠેલા લોકોની મીલીભગતથી જે રીતે સામાજિક સૌહાર્દ્ર ભંગ કરવામાં આવી રહ્યો છે. તે આપણા લોકતંત્ર માટે ખતરનાક છે. વૃદ્ધ અને યુવાનોના મગજમાં દુષ્પ્રચારના માધ્યમથી નફરત ભરવામાં આવી રહી છે.
સરકાર પાસે કરી આ માગ
કોંગ્રેસ અધ્યક્ષે આગળ કહ્યું કે, રિપોર્ટમાં મોટા નિગમો, સત્તાધારી પ્રતિષ્ઠાનો અને ફેસબુક. જેમ કે, વૈશ્વિક સોશિયલ મીડિયા દિગ્ગજોની વચ્ચે વધતાં ટકરાવને દેખાડે છે. હું સરકારને દુનિયાના સૌથી મનોટા લોકતંત્રની ચૂંટણી રાજનીતિમાં ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા દિગ્ગજોને વ્યવસ્થિત પ્રભાવ અને હસ્તક્ષેપને સમાપ્ત કરવાનો આગ્રહ કરુ છું. આ પાર્ટીઓ અને રાજનીતિથી ઉપર છે. સત્તામાં કોઈ પણ હોય, આપણે આપણાં લોકતંત્ર અને સામાજિક સદ્ભાવની રક્ષા કરવાની જરૂર છે.