સોનિયા ગાંધી 4 સપ્ટેમ્બરે કર્ણાટક પહોંચ્યા હતા. તેમણે વિજયાદશમીના અવસર પર એચડી કોટે વિધાનસભાના બેગુર ગામમાં ભીમનાકોલી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તો આજે સોનિયા ગાંધી માંડ્યા જિલ્લામાં પદયાત્રામાં સામેલ થયા હતા.
ભારત જોડો યાત્રામાં સોનિયા ગાંધી પણ જોડાયા
કાર્યકરો સાથે થોડે સુધી પગપાળા ચાલ્યા
સોનિયા ગાંધીના બુટની દોરી બાંધતા નજરે પડ્યા રાહુલ
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી કર્ણાટકમાં ગુરુવારે ભારત જોડો યાત્રામાં જોડાયા. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી સાથે પદયાત્રા પણ કરી. પદયાત્રા દરમિયાન રાહુલ ગાંધી ક્યારેક તેમની માતાના ખભા પર હાથ મૂકતા જોવા મળ્યા, તો ક્યારેક તેઓ તેમની માતા સોનિયા ગાંધીના બુટની દોરી બાંધતા નજરે પડ્યા. સોનિયા ગાંધીના બૂટની દોરી બાંધી રહેલો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો રાહુલ ગાંધીના વખાણ પણ કરી રહ્યા છે. શશિ થરૂરે પણ આ ફોટો શેર કર્યો છે.
जो प्रण लिया है, पीछे नहीं हटेंगे।
लाख मुश्किल आए, हम भारत जोड़ेंगे।।
પદયાત્રામાં સોનિયા ગાંધી જોડાયા
સોનિયા ગાંધી કર્ણાટકના માંડ્યામાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં નિકળેલી આ પદયાત્રામાં જોડાયા હતા. સોનિયા ગાંધી થોડીવાર રાહુલ ગાંધીની સાથે પગપાળા ચાલ્યા. કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજે કર્ણાટકના પાંડવપુરાથી નાગમંગલા તાલુકા સુધી જશે.
થરુરે કહ્યું- માં તો માં હોય છે
સોનિયા ગાંધીના બૂટની દોરી બાંધી રહેલો ફોટો શશિ થરુરે શેર કર્યો છે. તેમણે લખ્યું કે, તે શ્વાસ પણ લે છે તો તેમાં પણ દુવાઓ હોય છે. માં તો માં હોય છે. સાથે કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી પણ આ ફોટો શેર કરવામાં આવ્યો છે.
લાંબા સમય બાદ સોનિયા ગાંધીએ બતાવી સક્રિયતા
સોનિયા ગાંધી એવા સમયે કોંગ્રેસની પદયાત્રામાં સામેલ થયા, જ્યારે પાર્ટીમાં અધ્યક્ષ પદને લઈને ઘમાસણ ચાલી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે.
થોડા દિવસો પહેલા જ ભારત પરત આવ્યા છે સોનિયા ગાંધી
લાંબા સમય બાદ સોનિયાએ કોઈ જાહેર કાર્યક્રમમાં હાજરી આપી છે. તેમણે છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં સ્વાસ્થ્યના કારણોસર પ્રચાર પણ કર્યો ન હતો. ભારત જોડો યાત્રાની શરૂઆતમાં સોનિયા ગાંધી વિદેશમાં પોતાની સારવાર કરાવી રહ્યા હતા. તે સમયે તેમની માતાનું પણ નિધન થયું હતું. પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી પણ સોનિયા ગાંધીની સાથે ઈટાલી ગયા હતા. સોનિયા ગાંધી થોડા દિવસો પહેલા જ ભારત પરત આવ્યા છે.
4 સપ્ટેમ્બરે કર્ણાટક પહોંચ્યા હતા સોનિયા ગાંધી
સોનિયા ગાંધી 4 સપ્ટેમ્બરે કર્ણાટક પહોંચ્યા હતા. તેમણે વિજયાદશમીના અવસર પર એચડી કોટે વિધાનસભાના બેગુર ગામમાં ભીમનાકોલી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. સોનિયા ગાંધી આજે માંડ્યા જિલ્લામાં પદયાત્રામાં સામેલ થયા હતા. આ પહેલા બુધવારે સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીની સાથે દશેરાના તહેવારની ઉજવણી કરી હતી. સોનિયા ગાંધી મૈસૂર જિલ્લાના એચડી કોટે તાલુકામાં કાબિની ડેમના બેકવોટર પાસે આવેલા એક ખાનગી રિસોર્ટમાં રાકાયા હતા. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી કાબિની ફોરેસ્ટ સફારી પણ ગયા હતા.