હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું છે કે, સોનિયા ગાંધી હજુ પણ નિરીક્ષણ હેઠળ છે અને તેમના મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત ફરી લથડી
સોનિયા ગાંધીને તાવ આવતાં તેમને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ
સોનિયા ગાંધી હજુ પણ નિરીક્ષણ હેઠળ, કે હાલ તબિયત સ્થિર: હોસ્પિટલ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત આજે એટલે કે શુક્રવારે અચાનક બગડી હતી. માહિતી મુજબ સોનિયા ગાંધીને તાવ આવતાં તેમને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું છે કે, સોનિયા ગાંધી હજુ પણ નિરીક્ષણ હેઠળ છે અને તેમના મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જોકે હાલ તબિયત સ્થિર હોવાનું કહેવાય છે.
સોનિયા ગાંધીની સારવાર ચેસ્ટ મેડિસિન વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. અરૂપ બાસુની દેખરેખ હેઠળ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કોઈ ગંભીર સમસ્યા નથી. સોનિયા ગાંધીને કેટલાક સમયથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, જેના કારણે તેમને ઘણીવાર નેબ્યુલાઈઝ પણ થાય છે. તે જ કારણોસર તેમને દાખલ કરવામાં આવ્યા છે.
UPA chairperson Sonia Gandhi was admitted to Delhi's Sir Gangaram Hospital due to fever on 2nd March, says the hospital.
She is undergoing observation and investigations and her condition is stable: Dr DS Rana, Chairman, Sir Ganga Ram Hospital pic.twitter.com/qx7eimSPN6
સર ગંગારામ હોસ્પિટલ ટ્રસ્ટના અધ્યક્ષ ડૉ. ડી.એસ. રાણાએ સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય અહેવાલને સામાન્ય ગણાવ્યો છે. અહીં નોંધનીય છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને ફેફસાને લગતી સમસ્યા છે. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને 4 જાન્યુઆરીએ સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે સોનિયા ગાંધીને તેમના રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભારત જોડો યાત્રામાં સામેલ થવાને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જોકે 10 જાન્યુઆરીએ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.